________________
છતાં પણ બંને વચ્ચે તાદાત્મ સંબંધ છે તે કદી છૂટા પડવાના નથી. પુલમાં રહીને આપણે પુદ્ગલના સ્વભાવને અને સ્વરૂપને ગ્રહણ કરી લીધા છે, આથી પોતાના સ્વભાવ સ્વરૂપને ભૂલી ગયો અને જેની સાથે રહેવાનું નથી તેની સાથે ગમા પૂર્વક રહે છે.
ધર્મ ક્રિયાની આરાધના કરી પણ સમતા ધર્મની આરાધનાનું લક્ષ ન રહ્યું. વ્યવહાર ધર્મથી સારામાં સારું પુદ્ગલનું સુખ મળે. ધર્મથી બાહ્ય સુખ મેળવવાનો ભાવ રહ્યો પણ આત્મ સુખનું લક્ષ ન રહ્યું. આત્મા સંબંધી ઉહાપોહ જોઈએ. ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છું, ધર્મ શું છે? વગેરે અનુપર્બધકમાં આવેલા જીવને જિજ્ઞાસા થવી જોઈએ. આપણે બધું જ ગતાનુગતિક જ કર્યું,
ઔદાયિક ભાવનું ઊંચામાં ઊંચું સુખ પણ સર્વજ્ઞાએ બતાવેલી ધર્મની કિયાથી જ મળે તે વિના ન મળે. નવમા રૈવેયકનું સુખ મેળવવા દ્રવ્યથી જિનલિંગે નીરતિચાર સાધુ જીવનની અપ્રમત્તપણે ક્રિયા અને જીવદયાનું પાલન કરવું પડે, માટે જ અભવ્ય ચારિત્રનું પાલન કરીને નવમા સૈવેયકમાં જાય. અન્ય તાપસ ધર્મમાં કહેલી તમામ ક્રિયા અને તપશ્ચર્યાદિ વડે શરીરને હાડપિંજર બનાવી દે તો પણ તેઓ નવમા ગ્રેવેયકમાં ન જાય, પણ જ્યોતિષ દેવલોકમાં જાય. નાનામાં નાના જીવને પણ કિલામણા ન થાઓ એવા પ્રકારનો ઉચ્ચતમ વ્યવહાર સર્વશના શાસનમાં મૂકેલો છે અને એના કારણે એને અપૂર્વ સાતા વેદનીય બંધાય અને એને ભોગવવાનું સ્થાન દેવલોક છે. આથી અભવનો આત્મા આવી ક્રિયાઓ કરવા દ્વારા નવમા ગ્રેવેયક સુધી પહોંચી શકે પણ સાથે મિથ્યાત્વના પરિણામ છે તેથી સંતોષને બદલે તેને સકલેશ જ રહ્યા કરે. આત્માની રુચિ ન થવા દે. એ મિથ્યાત્વનો પરિણામ છે. દરેક આત્મામાં સુખની જ રુચિ રહેલી છે કારણ એ આત્માનો સ્વભાવ છે પણ મિથ્યાત્વના કારણે એને પુદ્ગલમાં જ સુખની રુચિ રહેવાની. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી આત્મા જગતને સુંદર રીતે જાણી ને જણાવી શકે પણ મિથ્યાત્વ મોહન નીકળે તો આત્માની રુચિ ઉભી ન થાય, તો સમ્યગ્દર્શન ન થાય માટે જ આત્માએ તત્ત્વ દ્વારા આત્માના અને પુદ્ગલના સ્વભાવને સ્વરૂપનો નિર્ણય કરવાનો છે. આત્મા પોતે અરૂપી અને તેના તમામ ગુણો અરૂપી. પુદ્ગલ પોતે રૂપી અને તેના તમામ ગુણો પણ રૂપી. બન્ને તન વિપરીત છે.
અજીવ તત્વ | 15s