________________
અહિત જ કરે છે. શાસનને તત્ત્વથી બરાબર સમજીશું તો જ એનો સ્વીકાર થશે અને તો જ આપણે એને પામીને સુખી થઈશું નહીં તો એમાંથી એવી વાત પકડીશું કે જેનાથી પુણ્ય બંધાય અને બાહ્ય સુખી થઈ સંસાર પરિભ્રમણ વધારશું. ૩) શરીર પ્રયોગ બંધઃ તેના બે ભેદ. (અ) પૂર્વ પ્રયોગ અને (બ) અભૂતપૂર્વ
પ્રયોગ.
(અ) પૂર્વ પ્રયોગબંધ : દારિક શરીરથી બહાર નીકળેલા તેજસ કાર્પણના પરમાણુઓ અન્ય કષાયાદિ સમુદ્ધાતમાં પુનઃસંકોચાય ત્યારે જે શરીરબંધ થાય તે પૂર્વ પ્રયોગ શરીરબંધ છે. કષાય સમુઠ્ઠાતમાં કર્મો જેટલા ખરે તેનાથી વધારે બંધાય.
શરીરનું બંધારણ થાય ત્યારે જીવ તૈજસ ને કામણ બે શરીર સાથે લઈને જ્યાં જાય અને ત્યાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરે. દેવ અને નારક વેક્રિય પુદ્ગલોને ગ્રહણ કરે, મનુષ્ય અને તિર્યંચો ઓદારિક વર્ગણાને ગ્રહણ કરશે અને તેજસ-કાશ્મણ સાથે એને બાંધશે અને નવું શરીર બંધાશે. બે શરીર હતા ને ત્રીજા શરીરની રચના થઈ એટલે આત્મા આ ત્રણ શરીરમાં પૂરાયો. વ્યવહારથી કહેવાશે કે જીવનો જન્મ થયો. હકીકતમાં તો ઔદારિક શરીરનો જન્મ થયો. આ શરીર સમગ્ર અશુચિ પદાર્થોથી ભરેલું છે. સ્થાન પણ અશુચિમય, પુદ્ગલો લીધા તે પણ અશુદ્ધ, ને નિર્માણ થયેલું શરીર પણ અશુદ્ધ. ઔદારિક શરીરનું નિર્માણ થતાં અંતઃમુહુનો કાળ લાગે. એક ભવના આયુષ્યની પૂર્ણાહુતિ પછી તરત જ બીજા ભવના આયુષ્યનો ઉદય થવાથી ખપવાની શરૂઆત થઈ જાય છે. નવો દેહ બંધાયો ત્યારે તો અસંખ્ય સમયો પસાર થયા. નવ મહિનામાં કેટલો બધો કાળ પસાર થઈ ગયો છે ને જન્મે ત્યારે ખુશાલીમાં પેંડા વહેચાય!! ત્યાં સુધીમાં તો કેટલાય મરણ થઈ જાય, જેટલા સમય પસાર તેટલા મરણ થઈ જાય જન્મને મરણ એ બન્ને ઘટના બની તેમાં પુદ્ગલનો સ્વભાવ કારણ છે. સિદ્ધઅવસ્થાને બદલે આત્માની જન્મ અવસ્થા ઊભી થઈ. આ બધામાં આત્મવીર્ય ખૂબ ખર્ચાયું તેના કારણે આત્માને ભયંકર પીડા થાય, પુદ્ગલ ગ્રહણ કરવું એ આત્માનો સ્વભાવ નથી ને એને ગ્રહણ કરે છે તે પૂર્વ શરીર પ્રયોગ બંધ.
(બ) અભૂતપૂર્વ પ્રયોગ બંધ ઃ આઠ સમયના કેવલી સમુદ્યાતથી નિવૃત્ત થયેલા કેવલી ભગવંતને પાંચમા સમયે તેજસ કામણ શરીર હોય ત્યારે પરમાણુઓને સંહરતા જે શરીર બંધ થાય તે અભૂતપૂર્વ પ્રયોગ શરીરબંધ
અજીવ તત્વ | 147