________________
૧૮ ભાવ દિશા : મનુષ્યની ૪ દિશા : ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ, પ૬ અંતરદ્વીપ,
સંમૂર્છાિમ મનુષ્યો. તિર્યંચની ૪ દિશા : બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેંદ્રિય.
સ્થાવકરકાયની ૪ દિશા : પૃથ્વી, અપુ, તેલ, વાલ વનસ્પતિની ૪ દિશા : મૂલ, અગ્ર, પર્વને સ્કંધ અધો ને ઊર્ધ્વની ર દિશા : નારક અને દેવ
આત્માનો સ્વભાવ ઊર્ધ્વગતિ કરવાનો છે છતાં એ આ ૧૮ દ્રવ્ય અને ૧૮ ભાવ દિશામાં ભટકે છે. ત્રણ નામકર્મના કારણે ઈચ્છા મુજબ ગતિ કરી રહ્યા છીએ. ૨૦૦૦ સાગરોપમ કાળ સુધી ત્રસકાય મળે એટલામાં જો આ ત્રસ નામકર્મનખપાવે તો ફરી સ્થાવરકાયમાં જવું પડે. બધે જ મર્યાદિત સમય છે, માત્ર મોક્ષમાં કાયમી સ્થિરતા છે. એટલે જ હવે કારણ વગર ગતિ ન કરે ને હસતા હસતા નહીં પણ રડતા રડતા હેય માની કમાવા વગેરેનો વ્યવહાર કરે, માટે જ જિનઆજ્ઞા પ્રમાણે કાર્ય કરવાનું છે. દરેક કાર્યમાં જિનની આજ્ઞાને મહત્તા આપીને વ્યવહાર કરવાનો છે.
શાસ્ત્રકારોએ મોક્ષ પ્રથમ શબ્દ અને ધ્યાન શબ્દ છેલ્લો મૂકી એ બે શબ્દોમાં આત્મહિતની વાત મૂકી છે. મોક્ષ એટલે પરથી છૂટા થવાનું ને સ્વ સાથે જોડાવું. તે ધ્યાનની પ્રક્રિયા છે. ચારે ગતિમાં ભાન આવવું એ શક્ય છે પણ ભાન પ્રમાણે પૂર્ણ સંયોગ સંબંધોથી પૂર્ણ છૂટવું અને પૂર્ણ આત્માના ગુણોમાં પ્રવર્તવું એ માત્ર મનુષ્યભવમાં જ શક્ય છે માટે જ દેવો પણ મનુષ્યભવને ઝંખે છે. આત્માનું હિત એટલે શું?
સ્વયં પીડા ન પામવી ને પરપીડામાં નિમિત્ત ન બનવું એ જ જીવનો પરમ સ્વભાવ છે અને તેમાં જ આત્માનું હિત છે માટે સાધુ સુખિયા ભલા એમ કહેવાય છે. તેઓ વર્તમાનમાં શું કરે છે? મારે દુઃખ વેઠવું નથી એવા પરિણામ છે એટલે મારે કોઈને દુઃખ આપવું નથી એવા પરિણામ પણ છે. એટલે અંતરમાં પીડા ન આવી શકે. એની માટે મોહના ઉદયને નિષ્ફળ કરવો જ પડે. અસાતાનો ઉદય એ દ્રવ્ય પીડા છે અને મોહનો ઉદય થવો એ ભાવ પીડા છે. સાતા-અસાતા બન્નેના ઉદયમાં આત્મા મોહથી રહિત બની જાય તો સમતામાં રહે. કેવલીના આત્મા મોહથી રહિત
અજીવ તત્વ | 119