________________
જાય. જ્યારે આત્માની તો એક જ દિશા છે-ઊર્ધ્વગતિ. પણ આત્મા પુદ્ગલ સાથે ભળ્યો માટે બધે ભટકે છે. જીવના પરિણામનું કારણ
નિજ સ્વરૂપ જાણ્યા વિના જીવ ભમે ભવ સંસાર જબ નિજ સ્વરૂપ પિછાણી એ, તબ હો ભવડાપાર. (શ્રીમ)
જ્યાં સુધી જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન-ભાન નહીં આવે અને ભવભ્રમણમાં કંટાળો નહીં આવે અને સ્વ સ્વભાવ રમણની રુચિ નહીં આવે ત્યાં સુધી પુદ્ગલને વશ થયેલો તે જીવ સંસારમાં ભ્રમણ કર્યા કરશે. જીવનો ઊર્ધ્વગતિ સિવાય બીજી કોઈ ગતિનો સ્વભાવ ન હોવા છતાં પુદ્ગલને વશ થયેલા જીવે ક્યાં ક્યાં ભ્રમણ ન કર્યું?
न सा जाइ न सा जोणी, न तं ठाणं, न तं कुलं। न जाया न मुआ जत्थ सव्वे जीवा अणंतसो ॥३॥
| (વેરાગ્ય શતક) तं किंपि नत्थि ठाणं, लोए वालग्ग कोडिमित्तंपि। जत्थ न जीवा बहुसो सुहदुक्ख-परंपरा पत्ता ॥४॥
| (વૈરાગ્ય શતક) ૧૪ રાજલોકમાં કોઈ એવો પર્યાય નથી જયાં કર્મને વશ થયેલો જીવ સૂક્ષ્મબાદર, એકેન્દ્રિયાદિ, વિવિધ ભવોરૂપે જન્મ ન પામ્યો હોય, યોનિને ધારણ ન કરી હોય, કે કોઈ કુળ બાકી રહ્યું હોય, કે કોઈ સ્થાન જે વાલાગ્રભાગ જેટલું પણ જન્મમરણાદિ ઘણી વખત પામ્યો ન હોય એવું જીવો માટે પ્રાયઃ ન બન્યું હોય અર્થાત્ દુઃખની પરંપરાને સર્વત્ર જન્માદિ દુઃખોને જીવ અનેક વખત પામ્યો છે.
જીવે ચારે ગતિમાં સૌથી વધારે કાળ તિર્યંચ ગતિમાં પરિભ્રમણ કર્યું છે. તે ગતિ અતિ વિશાળ છે. તેમાં સૂક્ષ્મનિગોદથી અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના જીવો આવી જાય, તેનું ક્ષેત્ર પણ વિશાળ સમગ્ર ૧૪ રાજલોક સુધી. જ્યારે મનુષ્યગતિ માત્ર અઢીદ્વીપ (૪૫ લાખ યોજન પ્રમાણ) ક્ષેત્રમાં જ છે. જયાં મનુષ્ય જન્મ-મરણ પામી શકે છે. લબ્ધિ વિદ્યાથી નંદીશ્વર દ્વીપકે મેરુપર્વત સુધી જઈ શકે પણ જન્મ-મરણ કે સિદ્ધ પામવાનું ક્ષેત્ર માત્ર અઢી દ્વીપ. (૪૫ લાખ યોજન પ્રમાણક્ષેત્ર) ત્યાંથી જ સર્વ મનુષ્યો સિદ્ધપણાને પામી શકે અર્થાત્ પોતાની સત્તાગત આત્મપ્રદેશની સ્થિરતા
અજીવ તત્વ | 117