________________
“વીરજિણંદજગત ઉપકારી, મિથ્યાઘામનિવારીરે. દેશના અમૃતધારા વરસી, પર પરિણતિસવિ વારીજી”
(પૂ. ક્ષમા વિ.મ.સા.) • સત અને દુર્ગાતની વ્યાખ્યા : | દુર્ગતિમાં પડતા એવા આત્માને ધારી રાખે તે ધર્મ. માત્ર એટલું જ કાર્ય ધર્મનું નથી. આગળ આત્માને સદ્ગતિમાં સ્થાપે તે ધર્મ. આ વ્યવહારથી વ્યાખ્યા છે. વ્યવહારથી નરક અને તિર્યંચ એ દુર્ગતિ છે અને મનુષ્ય અને દેવગતિ એ સદ્ગતિ છે. પોતાના સ્વભાવથી દૂર થતા આત્માને પકડી રાખે, આશ્રવના પરિણામમાં ન જવા દેવો તે નિશ્ચયથી ધર્મ છે. દુર્ગતિ (દુર-ગતિ)ની વ્યાખ્યા જોઈએ તો ગતિ આત્માનો સ્વભાવ છે. આત્માના સ્વભાવથી દૂર થવું તે દુર્ગતિ છે. આત્માની પર પર્યાયરૂપ બાળક, કુમાર, યુવાન, વૃદ્ધ વગેરે જુદી જુદી અવસ્થા થાય છે. આત્માને સ્થિર રહેવાનું છે પણ કર્મને વશ હોવાથી તેની અવસ્થા ફરે છે. ગાંડો માણસ એવી ચેષ્ટાઓ કરશે તો ત્યાં આપણને એ ગાંડો છે એવો નિર્ણય છે માટે ત્યાં વિકલ્પ નહીં આવે, પણ કોઈ બીજો માણસ એવું કરશે તો નહીં ચાલે. દેશના સાંભળીને જો આપણે સ્વ પરિણામ ન પામીએ તો સાંભળેલી દેશના સફળ નહીં બને. પરપરિણતિથી જ્યારે દૂર થશે ત્યારે જ વર્તમાનમાં છેલ્લા સંઘયણાદિમાં સર્વવિરતિ દ્વારા આત્માની અનુભૂતિ રૂપ સ્વપરિણતિનું આપણું કાર્ય થશે. તો મનુષ્યભવ સફળ થશે, તિર્યંચો દેશવિરતિ પણ પૂર્ણ પામી શકતા નથી માત્ર ૧૧ વ્રતના પરિણામ પામી શકે છે જ્યારે ગૃહસ્થો શ્રાવક પણાના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ૧૨ વ્રત તથા શ્રાવકની ૧૧ પ્રતિમા વહન રૂપ દેશવિરતિના પરિણામને પામી શકે છે. વર્તમાન માં પ્રતિમા વહન વિચ્છેદ છે. સાધુ છેલ્લા સંઘપણમાં ૭ મા ગુણસ્થાનક સુધીની આત્માની અનુભૂતિ કરી શકે છે. દેહથી ભિન્ન છું એ વાતની પ્રતીતિ આત્માએ કરવાની છે. જે મનથી વીરતીના દઢ પરિણામ કરી દેહઆત્માના ભેદજ્ઞાનને ધારણ કરી સ્વસ્વભાવનું આલંબન ધારણ કરે તે શરીરની ગમે તેવી સ્થિતિમાં આત્માની સાક્ષાત્ અનુભૂતિ અલ્પ સમય પણ કરી શકે. ૭મા ગુણઠાણે સંપૂર્ણ વીતરાગતા નથી, પ્રશસ્ત કષાયનો ઉદય પણ છે પણ તે મોહને આધીન નથી પણ મોહની સામે લડી રહ્યો છે. પણ વધારે કાળ શુદ્ધ પરિણામ ધારા ટકી શકતી નથી, તેથી પાછો તે છઠ્ઠા ગુણ સ્થાનકે આવે. ભાવ શ્રાવક કેવી ભાવના
અજીવ તત્ત્વ | 115