________________
પુગલના ૧૦ પરિણામ, પુગલ મિશ્રિત જીવના મિશ્ર ૧૦ પરિણામ,
તથા જીવના મૂળભૂત શુદ્ધ ૧૦ પરિણામ: પુગલના પુદગલ મિશ્રિત જીવના શુદ્ધ ૧૦ પરિણામ જીવના મિશ્ર ૧૦ પરિણામ ૧૦ પરિણામ (૧) ગતિ (૧) ગતિ-૪ (૧) ૧ સમયની ઊર્ધ્વગતિએ લોકાંતે પહોંચે (૨) બંધ (ર) ઈન્દ્રિય-૫ (૨) અતીન્દ્રિય-આત્મ પ્રદેશોમાં રહેલા જ્ઞાન
ગુણની સર્વજોયને જાણે (૩) ભેદ (૩) કષાય-૪ (૩) આનંદ (૪) સંસ્થાન (૪) લેશ્યા-૬ (૪) લાગણી રહિત વીતરાગતા (૫) વર્ણ (૫) યોગ-૩ (૫) અયોગી (૬) ગંધ (૬) ઉપયોગ-૮ (૬) કેવલજ્ઞાન
જ્ઞાન-અજ્ઞાન (૭) રસ (૭) સામાન્ય દર્શન-૪ (૭) કેવલ દર્શન (૮) સ્પર્શ (૮) મિથ્યાત્વ-૫ (૮) સમ્યગુદર્શન (ક્ષાયિક) (૯) શબ્દ (૯) ચારિત્ર-૭ (૯) આત્મરમણતા (યથાખ્યાત ચારિત્ર) (૧૦) અગુરુલઘુ (૧૦) વેદ-૩ (૧૦) અવેદી અનંતનું વેદ કરવાનો સ્વભાવ
(૧) ગતિ પરિણામ: ગતિ કરવી એ પુદ્ગલનો સ્વભાવ છે, એક પરમાણુ જઘન્યથી એક સમય સ્થિર રહે, અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત સમય સ્થિર રહે છે પછી તે ગતિ કરે. કારણ પરમાણુ કે સ્કંધ ગતિ કરવાના સ્વભાવવાળા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ગતિ પરિણામી નથી અને દ્રવ્યથી અખંડ છે. સંખ્યામાં આ ત્રણે એક જ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ૧૪ રાજલોક વ્યાપી છે અને આકાશાસ્તિકાય લોકમાં અને અલોકમાં પણ છે. આકાશ અમાપ છે. ત્રણે તત્ત્વો અરૂપી છે એટલે એકબીજામાં સમાઈ શકે છે. આ ત્રણે અખંડ દ્રવ્ય છે. પુદ્ગલ દ્રવ્યમાં છેલ્લા પરમાણુ આવે તો તે શાશ્વત છે, તે કદી નાશ પામતા નથી. માટે
અજીવ તત્વ | 113
(0
.