________________
પુદ્ગલના ૧૦ પરિણામ
ભેદજ્ઞાન ક્યારે ફળ્યું કહેવાય?
સ્વ-પરના ભેદ જ્ઞાન દ્વારા સ્વાત્મ દ્રવ્યના પરિણામોની પ્રતિતી, રુચિ અને અનુભૂતિ થાય તો તેમાં ઉપાદેય ભાવ આવે અને પુદ્ગલ દ્રવ્યના પરિણામોમાં હેયભાવ, ઉદાસિનતા આવે તો ભેદજ્ઞાન ફળ્યું કહેવાય. તે માટે નવ તત્ત્વમાં પરિણમી નીવ મુત્તમ..... ગાથામાં જણાવેલા પુદ્ગલના ૧૦ પરિણામોની અને જીવના ૧૦ પરિણામોની વિચારણા વિસ્તારપૂર્વક કરવી જરૂરી.
હવે આપણે પુગલના ગતિ આદિ ૧૦ પરિણામો સંબંધી વિસ્તારથી વાંચના શરૂ કરીએ?
112 | નવ તત્ત્વ