________________
દરેક આત્મા દ્રવ્યનો સ્વભાવ ક્રિયા કરવાનો છે અર્થાત્ સ્વભાવ દ્રવ્યને ક્રિયા કરવા પ્રેરે છે. તે ક્રિયાથી જદ્રવ્યનું પોતાનું અસ્તિત્વ જણાય છે. શુદ્ધાત્મ દ્રવ્યને શૂન્યવત જોવા છતાં તે સત્ છે, ભાવરૂપ છે. માટે જ સક્રિયતા દેખાડનાર ગુણને સ્વભાવ કહેવાય છે. એ પર્યાયરૂપ છે. પર્યાય એ જ ક્રિયા પરિવર્તન રૂપ છે.
દરેક દ્રવ્યમાં નિમિત્ત નૈમિત્તિક સિવાય બીજું કાંઈ કરવાની યોગ્યતા નથી. અનાયાસે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થઈ જાય છે, કરવો પડતો નથી. જ્યાં કરવું પડે છે, જાણીબુઝીને કરાય છે ત્યાં કર્તુત્વ ભાવ છે.
દ્રવ્યના મૂળ સામાન્ય ગુણમાં અસ્તિત્વ વિ. ગુણોમાં કર્તુત્વનો ગુણ નથી. વૈભાવિક પરિણમનમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય કોઈનું પણ નિમિત્ત પામીને કોઈ કાર્ય થઈ શકે.
જેમકે માટીનો ઘડો – માટીમાં ઘટત્વ રૂપ પરિણમન થવાનો હેતુ તેનું ઉપાદાન કારણ માટી પોતે છે. જ્યારે કુંભાર, દંડ, ચક્ર વગેરે નિમિત્ત કારણોને પામી ઘટરૂપ બને છે. આત્મા ક્યાં સુધી વૈભાવિક પર પરિણતિવાળો બનશે ત્યાં સુધી તે કર્મનો કર્તા ભોકતા પરિણામવાળો બનશે. એ પરનો કર્તા ભોકતા ન બને તો સ્વનો કર્તા ભોકતા બને.
કર્તા કારણ કાર્યનિજ પારણામિક ભાવ, જ્ઞાતા શાયક ભોગ્ય ભોકતા, શુદ્ધસ્વભાવ,
ગ્રાહકરક્ષક વ્યાપકતન્મયતા એ લીન, પૂરણ આત્મધર્મપ્રકાશ રસે લયલીન ૪on
(અધ્યાત્મગીતા) સંપૂર્ણ શુદ્ધ માત્ર સિદ્ધના આત્માઓ છે. જેણે પણ પોતાના આત્માને સંપૂર્ણ શુદ્ધ કરવો હોય તેણે સિદ્ધનું જ આલંબન લેવું જરૂરી. આથી અરિહંતના આત્માઓ પણ જ્યારે દીક્ષા લે ત્યારે પોતાના આત્માને સંપૂર્ણ શુદ્ધ કરવાનું તેમનું પ્રણિધાન અતિ દઢ હોય છે. તેમને અપૂર્વ વીર્ય પ્રગટેલ હોવાથી તેઓ પૂર્ણ સાધ્યનું પ્રણિધાન અવશ્ય સિદ્ધ કરવાના ધ્યેયપૂર્વક જ સાધનાનો પ્રારંભ કરે છે. આથી તેઓ પણ પોતાના પૂર્ણ સાધ્યના પ્રણિધાન અનુસાર “નમો સિદ્ધાણં” પદનો ઉચ્ચાર કરે છે. સિદ્ધો પોતાના પૂર્ણ શુદ્ધ પારિણામિક પરિણામ ભાવમાં લયલીન છે અર્થાત્ સિદ્ધના 108 | નવ તત્ત્વ