________________
કરનાર” એ સામાન્ય અર્થ છે. એ દ્રવ્ય કર્તા હોઈ શકે. પરંતુ કર્તા એટલે સર્વદ્રવ્યોનો અધિકારી કર્તા પોતે જ હોઈ શકે. કેમકે તે જ તેનો ઉપભોગ કરનાર શુદ્ધ સ્વામી છે. ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોની ગતિ સહાયકાદિ ક્રિયાઓનો ઉપભોગ કરનાર જીવ દ્રવ્ય અધિકારી છે. પુદ્ગલ દ્રવ્યનો પણ ઉપભોગી જીવ દ્રવ્ય વ્યવહારે છે.
શુદ્ધ જીવ દ્રવ્ય સ્વગુણો સિવાય કોઈનો ઉપભોગ કરી શકતો નથી પણ અનાદિથી વિભાવ પરિણામને કારણે પુદ્ગલનો હું ભોગી છું એવું માની અનુકૂળ પુલના ભોગમાં આનંદ માણે છે. કર્મનો બંધ કરે છે. આત્મા અરૂપી હોવાથી રૂપીનો ભોગ કરી શકે નહીં અને કરવા જાય એટલે આત્માને અવશ્ય પીડા થાય. આથી પર લક્ષણ દુઃખ કહીએ, નિજ વશ તે સુખ લહીએ જીવને પરપુદ્ગલ ભોગમાં દુઃખનું વેદન અને સ્વગુણોના ભોગમાં સુખનું વેદન કહ્યું. આથી પર પુદ્ગલના સંગનો ભાવ અને પરમાં કર્તા ભાવ કરવાનો જ્ઞાનીઓએ નિષેધ કર્યો અને સ્વગુણોના જ કર્તા બનવાનું કહ્યું.
આત્મામાં કર્તાપણાના મુખ્ય ત્રણ કારણ: ૧) આવિર્ભાવતા જ્ઞાનાદિ ગુણોનું પ્રગટ થવા રૂપ. ૨) ગ્રાહ્યકતાઃ વિભાવ સ્વભાવને આધીન થયેલ જીવ પુદ્ગલ ગ્રહણ કરતો હતો
એને બદલે સ્વગુણ ગ્રાહકતા ભાવ પ્રગટે. ૩) રમણતા : જીવમાં પોતાના જ્ઞાનાદિ ગુણોમાં જ રમણતા કરવાનો સ્વભાવ પ્રગટ થાય.
હુંકારભાવનો એમ જેમ જેમ જાણે; તેમ તેમ અજ્ઞાની પડે, નિજકર્મને ઘાણે.
(પૂ. મહો. યશોવિજયજી) જીવ પોતાના જ જ્ઞાનાદિ ગુણોનો કર્તા અને ભોકતા છે પણ પરનો કર્તા કે ભોકતા નથી. પરનો કર્તા –કે ભોકતા થવા જાય કે થાય તો કર્મનો કર્તાને તેનો ભોકતા થાય.
નિજ પરિણામ જે શુદ્ધ ચતના રૂપ, કર્તા ભોકતાdહનો, નિર્વિકલ્પ સ્વરૂપે.”
અજીવ તત્ત્વ | 107