________________
વિદ્યમાન છે, તે અપેક્ષાએ નિત્ય છે. વર્તનાદિ ૪ ગુણ વડે નિત્ય છે તથા અનાગત, અતીત, વર્તમાન અને અગુરુલઘુ ૪ પર્યાય વડે અનિત્ય છે તથા અચેતન, અરૂપી અને અક્રિય છે.
જીવદ્રવ્યઃ નિત્ય છે. ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ છે. માત્ર વિવિધ પર્યાયે નાશ અને ઉત્પત્તિ છે. જીવ મનુષ્ય પર્યાયે જન્મ અને નાશ થાય પણ તેમાં રહેલો આત્મા મરતો નથી, તે સદા ધ્રુવ રહે છે. આમ જો આત્માના ત્રિકાલિક અસ્તિત્વનો જીવને સ્વીકાર થાય તો જીવ એક ભવના અસ્થિર પર્યાય માટે જીવવાનું બંધ કરે અને અનંતકાળને સુધારવાની ઉજળી તક ગુમાવે નહીં, તેમાં પ્રમાદ કરે નહીં. કયું દ્રવ્ય કોનામાં કારણ છે?
જીવ દ્રવ્યમાં બીજા કોઈ પણ દ્રવ્ય કારણરૂપ બનતા નથી. શુદ્ધ સ્વરૂપી સિદ્ધનો આત્મા કોઈમાં કંઈ કારણ બનતો નથી. જે કોઈ સિદ્ધનું આલંબન લઈ સિદ્ધ બનવાનો પુરુષાર્થ કરે તેને સિદ્ધપણું પ્રગટ થાય. જ્યાં સુધી જીવ બીજામાં હું જ કારણ માની પરનો કર્તા બનશે ત્યાં સુધી સિદ્ધપણું પ્રગટ નહીં થાય. જ્યારે જીવ પોતાના અકારણ સ્વભાવમાં સ્થિર થશે. બીજાની પીડામાં નિમિત્ત કારણ મટી જશે ત્યારે તેનું સિદ્ધપણું પ્રગટ થશે. બાકી બધા સંસારી જીવ દ્રવ્ય તથા બીજા દ્રવ્યો પરસ્પર કારણ બને છે. - ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિમાં સહાયક કારણ છે. - અધર્માસ્તિકાય? જીવ અને પુદ્ગલ દ્રવ્યની સ્થિરતામાં સહાયક કારણ છે. - આકાશાસ્તિકાય : સર્વ દ્રવ્યોને પોતાનામાં અવગાહના-આધાર આપવાનું
સમાવી લેવામાં કારણ છે. પગલાસ્તિકાય : જીવને જીવન-મરણ, શ્વાસોચ્છવાસ, ભાષા આદિમાં
કારણ છે. અર્થાત્ દ્રવ્યના પ્રાણો રૂપે જીવવામાં પ્રધાન કારણ છે. - કાળદ્રવ્યઃ નવાનું જૂનું કરે. દ્રવ્યના અસ્તિત્વને બતાવે.
કર્તા કોને કહેવાય?
જીવ સિવાય બધા જ દ્રવ્યો અકર્તા છે. આત્મા જ માત્ર પોતાના ગુણોનો કર્તા છે. જે દ્રવ્ય અન્ય દ્રવ્યની ક્રિયા પ્રત્યે અધિકારી હોય તે કર્તા અર્થાત્ “ક્રિયાનો
106 | નવ તત્ત્વ