________________
ભેદજ્ઞાનનું મહત્વ
અધ્યાત્મસાર ગ્રંથમાં પૂ. મહો. યશોવિજયજી મહારાજ ફરમાવે છે, મુક્તિનો ઉપાય ધ્યાન છે અને ધ્યાન માટે આત્મજ્ઞાન જરૂરી, માટે આત્મજ્ઞાન માટે મુમુક્ષુ આત્માએ સદા પ્રયત્ન કરવો જોઈએ. આત્મજ્ઞાનનું ફળ ધ્યાન અને ધ્યાનનું ફળ મુક્તિ.
आत्मज्ञानफलं ध्यानमात्मज्ञानं च मुक्तिदम्। માત્માજ્ઞાનાય તન્નિત્યં, યત્ન: વેર્યો મહાત્મના II
અધ્યાત્મ સાર (૧૮.૧) જ્ઞાન જ્ઞાનાદિ ગુણના નિર્મળ પરિણામ રૂપે આત્માએ સહજરૂપે થવું એ જ સમગ્ર આગમનો સાર છે. જ્ઞાનના પરિણામ વડે સ્વાત્મામાં સ્થિર થવાનું છે. જ્ઞાન જેમ જેમ નિર્મળ થતું જાય તેમ તેમ આત્મા સ્વમાં સ્થિર થતો જાય. જો જ્ઞાન અશુદ્ધ થતું જાય તો સ્વમાં અસ્થિરતા વધતી જાય. સ્વના અસ્તિત્વના ઉપયોગ વિના પરના જ્ઞાતા બનવામાં પરમાં માત્ર મોહ પરિણામ હોવાને કારણે પરમાં લેવાતો જાય.
આત્માનું ધ્યાન એટલે આત્માના જ્ઞાતા, આત્મામાં સ્થિરતા અને આત્મામાં રમણતા રૂપે થવું.
અનાદિકાળથી આત્મા પરના સંયોગોવાળો બનેલો છે. જ્યાં સુધી પરનો સંયોગ રહેશે ત્યાં સુધી આત્મામાં સહજ અસ્થિરતા રહેશે. અસ્થિરતા બે પ્રકારની
86 | નવ તત્ત્વ