SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા-શારીરસ્થાન ૩૯૪ w ગુણુનું સમવાયી કારણ હોય તે ‘દ્રવ્ય' કહેવાય છે. આ દ્રવ્યસ ંગ્રહ આમ કહેલો છે કે, ' લાવીન્યામાં મનઃ હાજો વિરાક્ષ દ્રવ્યસંગ્રહઃ ।'-આકાશ વગેરે પાંચ મહાભૂ ા, આત્મા, મન, કાળ તથા દિશાઓ-એ એ નવની ટૂંકમાં દ્રવ્યસ ંગ્રહ–દ્રવ્યો તરીકેની ગણતરી છે. આમ દ્રવ્યો કહ્યા પછી ચરકે ગુણનુ લક્ષણ પશુ સૂત્રસ્થાનના ૧ લા અધ્યાયમાં આમ કહેલ છે કે, ' સમવાયી તુ નિશ્ર્વષ્ટઃ દાળ શુળઃ -જે (બીજા) ગુણુનું સમવાયી કારણ હોય, દ્રવ્ય સાથે સમવાયી સંબંધથી રહેતા હોય; પરંતુ જે નિશ્ચેષ્ટ હાઈ ક્રિયાન્ય હોય તે ગુણુ કહેવાય છે. ગુણુસ'પ્રશ્ન પણ ચરકે ત્યાં સૂત્રસ્થાનમાં આમ જાવેલ છે કે, ‘સા⟩: સુર્યાયો વૃદ્ધિ પ્રયનાન્તાઃ વાચ્: | Jળા: પ્રોા: '...શબ્દ આદિ પાંચ વિષયા, ચિન્ય આદિ પાંચ મનના વિષયા, ગુરુ આદિ ૨૦ ગુણા, સૃદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન તથા પર આદિ ૧૦ ગુણેા મળી આયુમાં લગભગ ૪૫ ગુણા માન્યા છે. આમાંના શબ્દાદ પાંચ મહાભૂતાના વૈશેષિક–ખાસ ગુણ્ણા છે. ચિત્ત્વ, વિચા, ઉદ્ઘ, ધ્યેય તથા સ’કલ્પ-એ પાંચ મનના વૈશેષિક ગુણ્ણા કહ્યા છે. ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, નિગ્ધ, રૂક્ષ, મંદ, તીક્ષ્ણ, સ્થિર, સર, મૃદુ, કનિ, વિશદ, શ્લષ્ણુ, ખર, સ્થૂલ, સૂમ, સાન્દ્ર તથા દ્રવ અને - એ ૨૦ અને તે ઉપરાંત ઇચ્છા, દ્વેષ સુખ, દુઃખ, પ્રયત્ન, પરત્વ, અપરત્ન, યુક્તિ, સંયોગ, વિભાગ, પૃથક્ત્વ, પરિમાણુ, સંસ્કાર અને અભ્યાસ-એમ તે બધા ચે ગુણ્ણાની સંખ્યા લગભગ ૪૫-૫૦ સુધીની થાય છે. આમાં ગુરુ આદિ ૨૦ સામાન્ય ગુણા ગણાય છે અને બુદ્ધિ, ઇચ્છા, દ્વેષ, સુખ, દુઃખ તથા પ્રયત્ન-એ આત્માના ગુણા છે. આ ગુણ્ણાની સંખ્યા સંબંધે જુદા જુદા મતભેદ મળે છે. ૩ એમ ઉપરના શારીર પ્રથમાધ્યાય જેટલેા ઉપલબ્ધ છે, તે જણાવીને હવે ખીજો શારીર અધ્યાય નીચે આર’ભે છે; અહીં પહેલા શારીર અધ્યાયનું નામ મળતું નથી પણ નીચેનેા ખીજો અધ્યાય નામ સાથે જણાવે છે. અસમાનગેાત્રીય શારીર અધ્યાય ૨ જે આ અધ્યાય શરૂઆતમાં જ ખંડિત મળે છે. અધ્યાયને અંતે સમાપ્તેચક વાક્ય મળે છે. તે જોઈ તે આ અધ્યાયના નામના સકેત. નામ તથા પ્રકરણ મળે છે. આ અઘ્યાયના જોતાં આમ કહી શકાય છે ઃ–આ અધ્યાયમાં ગ` સંબધી વિવેચન કરવામાં આવ્યું છે. ગર્ભાશયમાં ગર્ભની માસિક વૃદ્ધિના વિષય આ અર્ધ્ય યુમાં અપાયેા છે. ત્રીજા મહનામાં ગર્ભની ક્રમિક વૃદ્ધિના વિષયથી જ આ ખંડિત અધ્યાયની શરૂઆત થાય છે. આ ઉપરથી અહીં આવુ" અનુમાન કરી શકાય છે કે આ અધ્યાયના પ્રથમના ખ ંડિત ભાગમાં ગર્ભધારણની પ્રક્રિયા અને ગર્ભ – ધારણ પછીા પહેલા તથા ખીજા મહિનામાં ગર્ભની જે વૃદ્ધિ થાય છે તેને લગતે વિષય અપાયેલો હવે એઈ એ. તે સબધે વાયકાને જ્ઞાન થાય માટે અમે ચરક તથા શ્રુત આદિ આ - પ્રથાને આધારે તે વિષયનું સ્પષ્ટ કરણ કરવા પ્રાત્ન કરીએ છીએ. પ્રથમ તો આ અધ્યાયના નામ ઉપરથી આ સ્પષ્ટ થાય છે કે મનુષ્યા પરસ્પર વિવાહ તથા મૈથુન જુદાં જુદાં ગાત્રોવાળાંનાં જ થઈ શકે, એટલે કે સમાન ગાત્ર એને પરપર વિવાહ કે મૈથુન કરાય તે શાસ્ત્ર વિરુદ્ધ છે. તે | જો કે સમાન ગાત્રવાળાં સ્ત્રી-પુરુષના વિવાહ તથા મૈથુનથી ગર્ભ તેા ઉત્પન્ન થાય જ છે; પરંતુ એ ગનીરાગી ન થતાં અવશ્ય રાગી જ થાય છે; આ જ કારણે મનુ મહારાજે સગાત્રીઓના વિવાહતે નિષેધ કર્યો છે; જેમ કે અવેન્ડા વ યા માસુરसगोत्रा च या पितुः । सा प्रशस्ता द्विजातीनां दार મૈિથુને ।।-જે કન્યા માતાની સપિંડ કે સગેાત્રી ન હોય અને પિતાની પણ સગેાત્રી ન ઢાય તે બ્રાહ્મણાદિ ત્રણ દ્વિજાતિને પરસ્પરના દારક —વિવાહ માટે તથા મૈથુન માટે ઉત્તમ ગણાય છે. આ જ વિષય ચરકસ હિતામાં શારીરસ્થાનના અનુચોત્રીય શરીર 'નામના ખીજા અધ્યાયમાં ચર્ચવામાં આવ્યા છે; માટે હવે અમે ગર્ભધારણ પ્રક્રિયાનું વર્ણન કરીએ છીએ. પુરુષ "
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy