SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નેહાધ્યાય અધ્યાય ૧૨મા બીન કરતાં વધુ મધુરપણું છે. તે ઉપરાંત વધુ પ્રમાણમાં તે દાહક નથી-પણ શાન્તિદાયક છે અને જન્મથી માંડીને જ તે ઘીનું સેવન ચાલુ કરવામાં આવે છે.’ ઉપરાંત હરકોઈ વ્યક્તિને તે માફક આવે છે. પ્ શ્રીના સામાન્ય ગુણા विनिहन्ति पित्तमनिलं पीतं सर्पिः कफं न च चिनोति । जनयति बलाग्निमेधाः शोधयति शुक्रं च योनिं च ॥ ६ ॥ પીધેલુ' શ્રી પિત્તના તથા વાયુને નાશ કરે છે અને કફના સંગ્રહ કરતું નથી; તેમ જ સતત સેવાતું ઘી ખળને, જઠરના અગ્નિને તથા મેધાને વધારે છે, અને પુરુષના વીર્યને તથા સ્ત્રીની ચેાનિને શુદ્ધ કરે છે. વિવરણ : ચરકે પણ નિદાનસ્થાનના પહેલા અધ્યાયમાં ધીના સામાન્ય ગુણે! આમ કથા છે 'स्नेहात् वातं शमयति शैत्यात् पित्तं नियच्छति । ધૃત તુલ્યમુળ રોષ સારાસુ ગયેત્ મ્ ॥' ધીમાં સ્નેહ–ચીકાશ વધુ છે, તેથી વાયુને શમાવે છે અને શીતળતાના કારણે પિત્તને પણ શાંત કરે છે. વળી ઘીમાં તથા કફમાં એકસરખા ગુણ છે, છતાં સ'સ્કારયુક્ત થવાથી કદોષને પણ તે કાબૂમાં લે છે. તેમ જ સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૪૫મા અધ્યાયમાં ધીના વિશેષ ગુણે। આ પ્રમાણે વર્ણવ્યા છેઃ ‘ ધૃત मधुरं सौम्यं मृदु शीतवीर्यम् अल्पाऽभिष्यन्दि स्नेहन૩૬ાવર્ત-૩ન્માદ્-અપમાન-સૂર્ણ- વર-આનાહવાત— પિત્ત-પ્રામનમ્ અશિદ્દીપન સ્મૃતિ-મતિમેધા-જાતિસ્વર-હાવય્-સૌઝુમાય-યોગ-તેનો-વરમ્ આયુષ્ય वृष्यं मेध्यं वयःस्थापनं गुरु चक्षुष्यं श्लेष्माभिवर्धनं पाप्म- अलक्ष्मी- प्रशमनं विषहरं रक्षोघ्नं च ॥ '-धी મધુર, સૌમ્ય, સુંવાળું, શીતળ વીવાળું, ઘેાડુ અભિષ્યદી એટલે ચીકાશ અને ભારેપણાથી રસવાહી શિરાઓને રૂંધી દઈને શરીરમાં ભારેપણું કરનાર, શરીરમાં ચીકાશ વધારનાર તેમ જ દાવને, ઉન્માદને, અપસ્માર–વાઈ ને, શૂળને, જી જવરને, આનાહ–મલબધ અથવા કબજિયાતને, વાયુને તથા પિત્તને અત્યંત મટાડનાર અને જઠરના અગ્નિને પ્રદીપ્ત કરનાર તેમ જ સ્મરણશક્તિને, પુદ્ધિને, ૨૦૧ ધારાશક્તિને, કાંતિને, સ્વરને, લાવણ્યને વધારનાર તેમ જ શરીરની કામળતા, આજસ, તેજ તથા બળતે કરનાર, આયુષ્યને વધારનાર, વી વધારનાર, મેધાને હિતકારી, ઉંમરને સ્થિર રાખનાર, પચવામાં ભારે, ચક્ષુને હિતકારી, કને વધારનાર અને પાપ તથા અલક્ષ્મીને અત્યંત શમાવનાર, વિષને દૂર કરનાર તથા રાક્ષસેાને નાશ કરનાર છે. ૬ તેલના સામાન્ય ગણા उष्णं कफानिलघ्नं स्वरवर्णकरं तनुस्थिरीकरणम् । भग्नच्युतसन्धानं धातुव्रणशोधनं तैलम् ॥ ७ ॥ તલનું તેલ ઉષ્ણુ હાઈ કના તથા વાયુના નાશ કરનાર, સ્વર તથા શરીરના વષ્ણુને કરનાર, શરીરને સ્થિર કરનાર, ભાંગેલાંને તથા સાંધા ખસી ગયા હોય તેને સાંધનાર અને ધાતુઓને તથા વને શુદ્ધ કરી સાફ કરનાર છે. ૭ : વિવરણ : ચરકે સૂત્રસ્થાનના ૧૩મા સ્નેહાધ્યાયમાં તેલના ગુણેા આમ લખ્યા છે : 'मारुतघ्नं न च श्लेष्मवर्धनं बलवर्धनम् । त्वच्यमुष्णं स्थिरकरं तैलं યોનિવિરોધનમ્ ॥ '—તલનું તેલ વાયુનેા નાશ કરે છે, કને વધારતું નથી, પણ બળને વધારે છે, ચામડીને હિતકારી, ઉષ્ણુ-ગરમ, શરીરને સ્થિર કરનાર તથા યોનિને વિશેષ શુદ્ધ કરનાર છે. ' વળી સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૪૫ મા અધ્યાયમાં તલના તેલના ગુણેા જે કથા છે, તે ત્યાં જોઈ લેવા. ૭ મજ્જાના તથા વસાના સામાન્ય ગુણા मज्जावसे विशेषाद्वातघ्ने वृष्यसंमते चैव । बलिनां तत्सात्म्यानां प्रजाबलायुः स्थिरीकरणे ॥८॥ મજ્જા તથા વસા વિશેષ કરી વાયુનેા નાશ કરનાર અને વૃષ્ય હેાઈ વીય વર્ષ ક તરીકે જ મનાયેલી છે; જેઓ બળવાન હાય અને તે મજ્જા તથા વસા જેઓને સાત્મ્ય હોય તેવા લેાકેાને એ વસા તથા મજ્જા પ્રજાની, મળની તથા આયુષ્યની સ્થિરતા માટે હિતકારી થાય છે. ૮ વિવરણું : ચરકે સૂત્રસ્થાનના ૧૩મા અધ્યાય
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy