SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ'હિતા Wh વૈદિક સભ્યતા સર્વ કરતાં શ્રેષ્ઠ છે, એવી પૂર્વકાળની સભ્યતા દર્શાવે છે. કેવળ એટલું જ નહિ પણ જે બંને નાસત્યે-અશ્વિનીકુમારા આયુર્વેદીય વૈદ્યક શાસ્ત્રના સૌથી પહેલાંના આચાર્યાં છે અને ઋગ્વેદ આદિ સાહિત્યમાં જેમનું ઘણું જ વિશેષ વર્ષોંન કરેલું દેખાય છે, તેમનેા શિલાલેખમાં સાક્ષી તરીકેના જે ઉલ્લેખ કરેલ છે, તે ભારતીય આયુર્વેદીય વિજ્ઞાનની પ્રાચીનતા સૂચવે છે. આને સાક્ષી તરીકે નિર્દેશ તથા ઉદ્ધરણ મળવાથી | શ્રૌત-સ્મા-સૂત્ર આદિ રૂપે મળે છે. મૂળ શ્રુતિઓની શાખાઓના નાશ થઈ ગયા છે એમ પણ અનુમાન થાય છે. તે આ વૈદ, પેાતાની આનુશ્રવિક પ્રક્રિયા અથવા પરંપરાથી સંભળાતી પદ્ધતિ દ્વારા, એ બે શાખારૂપે અત્યંત પ્રાચીનકાળથી આર્યોની તથા અસંખ્ય મહર્ષિઓની વસતિઓમાં, હૃદયામાં તથા સુખામાં એતપ્રેાત થયેલી, સવ્યાપક અને પૂજનીય એવી પેાતાની સ્થિતિ દર્શાવે છે. એવા પ્રકારના વૈદિક સંપ્રદાયમાં અશ્વમેધ જેવા મહત્ત્વપૂર્ણ યજ્ઞના અંગ તરીકે ભેષોનું આખ્યાન તે કાળે ગવાતું હતું. એ આખ્યાન શ્રુતિના અધ્યયન તથા અધ્યાપનની પ્રક્રિયા દ્વારા તેમ જ હમેશાં કરાતા પારાયણ તથા અભ્યાસની રીતિથી, યાજ્ઞિક તથા પ્રયાગ, ચર્ચા, અનુષ્ઠાનરૂપે તેમ જ આવિજ્ય અથવા ઋત્વિજોને લગતાં કર્મના માર્ગે ઋષિએનાં રહેઠાણામાં ઉચ્ચ સ્વરે ઉચ્ચારાતું હતું. મંદિર આદિમાં રહેલ કેટલાક ભૈષજ્ય વૈદ્યકીય લેખેાના વિષયા કરતાં તેમ જ ક્યાંક મળી આવેલ શિલાએમાં રહેલા ભૈષજ્ય સંબધી વિષયે કરતાં પણ, પહેલાં પ્રતિષ્ઠા પામેલી વૈર્દિક સભ્યતાના ઉદયની સાથે સાથે ભારતીય ભૈષજ્યપ્રસ્થાન અથવા આયુવેદીય શાસ્ત્રનું મહત્ત્વ, વ્યાપક સ્થિતિ તથા અત્યંત પ્રાચીનતા સિદ્ધ થાય છે. | ૨૩૨ વળી વૈદિક યજ્ઞસસ્થાઓમાં અશ્વમેધ યજ્ઞની ઘણી મોટી પ્રતિષ્ઠા હતી; પહેલાંના કાળમાં અનેક શક્તિશાળી રાજાઓ દ્વારા પેાતાના રાજ્યની ચારે તરફ રહેલા બધા રાજાઓને નમાવીને પેાતાનું ગૌરવ પ્રસિદ્ધ કરવા માટે તથા પરલેાકનું કલ્યાણ પ્રાપ્ત કરવા માટે કરાતા એ યજ્ઞના અનુષ્ઠાનનું અનેક સ્થાન પર વર્ણન મળે છે. વેદકાળથી માંડીને એ અશ્વમેધ યજ્ઞ ચાલુ રહ્યો હતેા અને છેલ્લે વૈદિક ધર્મ'ને ફરી સજીવન કરતા ‘ પુષ્યમિત્ર' નામના રાજાએ પણ તે અશ્વમેધ યજ્ઞ કર્યો હતેા અને તે દ્વારા પેાતાનું નામ ગૌરવ સાથે સ્થાપિત કર્યું હતું. એ જ પ્રમાણે સમુદ્રગુપ્તના શિલાલેખમાં પણ અશ્વમેધના જે ઉલ્લેખ કર્યો છે, તેના તરફ પણ ઘણી જ માનદષ્ટિથી જોવામાં આવે છે. એ અશ્વમેધ યજ્ઞ, વૈદની બધી યે શાખામાં, હું સંહિતાઓમાં, બ્રાહ્મણુત્ર થામાં તથા શ્રૌતત્રામાં પણ બતાવેલા છે એવા તે અશ્વમેધ યજ્ઞમાં રાજાએની જે પરિષદ ભરાતી હતી, તેમાં મહર્ષિઓની આગળ એક વર્ષ સુધી ગવાતી તે તે ગાથાઓમાં ત્રીા દિવસે ભેષજવિદ્યાનુ આખ્યાન ગવાતું હતું, એમ આશ્વલાયનસૂત્રમાં તથા શાંખ્યાયનસૂત્રમાં પણ દર્શાવેલું મળે છે. વળી એ અશ્વમેધ યજ્ઞમાં ભેષજવિદ્યાનું કીર્તન થતું હતું, એમ વિદ્વાન · મેકસમૂલરે ’ પણ ઉલ્લેખ કર્યાં છે. વળી વેદની ઋચ્ યજી:, : સામ તથા અથ વૈદની હારા શાખાએ વિભક્ત થવાનું ચરણવ્યૂહ ’ ગ્રંથકાર પ્રતિપાદન કરે છે. તેમાંની ઘણી શાખાઓ કાળધર્મને કારણે નાશ પામી છે. તાપણુ તેમાંની ધણી યે શાખાએ આજે પણ મળે છે. તેમાંની કેટલીક શાખાએ આજે | એમ અનેક શાખાઓમાં ફેલાયેલ ઋગ્-અથવ આદિ વેદોમાં પણ ધણા ભાગે પોતાના વિષય તપ્રાત હેાવાથી, તેમ જ યજ્ઞને લગતા પ્રયાગમાં પણ જેનું આખ્યાન મધ્યમાં ગવાતું હેાવથી આયુર્વેદના નામે એક વિશેષ વૈદિકશાસ્ત્ર તરીકે પહેલાંના કાળથી જુદુ પડેલ હોવાથી, ભારતીય ભૈષજ્ય વિજ્ઞાનની પ્રાચીનતા નિશ્ચિત રૂપે પ્રગટ થાય છે. આ સબંધે કાલ્ખકે સાચુ જ કહ્યું છે કે ‘હિંદુએ જગતના હંમેશાં ગુરુ જ રહ્યા છે, શિષ્ય બન્યા જ નથી. ” તે જ પ્રમાણે મેાનિયર વિલિયમ્સે પણુ આમ જ કહ્યું છે કે- ક્રેસ-સભ્યતા અને પ્રકાશના પ્રથમ અંકુર હ ંમેશાં પૂમાં જ ઉદય પામ્યા છે અને પૂર્વમાંથી તેના પ્રચાર પશ્ચિમમાં થયા છે, પણ પશ્ચિમમાંથી પૂર્વમાં તેના પ્રચાર થયા નથી. '
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy