SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કરેલી સ્તુતિના પ્રભાવે સ્તુતિકારોને જે અભિલાષિત ફળની પ્રાપ્તિ થાય છે. તેમાં નિમિત્ત તો તેઓ જ છે. આમ અભિલાષિત ફળની પ્રાપ્તિ શ્રી તીર્થકર ભગવંતના કારણે જ છે. એ ક્રિયામાં બીજું બધું હોય પણ સ્તવના આલંબન તરીકે કેવળ શ્રી તીર્થકર ન હોય તો અભિલષિત ફળની પ્રાપ્તિ કદાપિ થઈ ન શકે. તેથી ફળ પ્રાપ્તિને એમની પ્રસન્નતા તરીકે ઓળખવામાં આવે છે.તદ્ઉપરાંત આરાધકને પ્રાપ્ત થતા ઈષ્ટ ફળના કર્તા અને સ્વામી પણ નૈગમાદિ નયો શ્રી તીર્થંકર ભગવંતને માને છે. | તીર્થકર ભગવંતો વીતરાગ હોવાથી સ્તુતિ કરવામાં આવે તો તોષ ધારણ કરતાં નથી અને નિંદા કરવામાં આવે તો Àષવાળા બનતા નથી. તો પણ જેમ ચિંતામણી, મંત્ર આદિના આરાધક તેનું ફળ મેળવે છે. તેમ જે એમની સ્તુતિ કરે છે તે સ્તુતિનું ફળ અને નિદકની નિંદાનું ફળ મેળવે જ છે.૭૯ દેવવંદણ ભાષ્ય, વંદાવૃત્તિ, ચેઈયવંદણ મહાભાસ, વિ.માં પણ આ વિષે વિસ્તૃત કહેવામાં આવ્યું છે. ૪.૪ છઠ્ઠી ગાથાના તીર્થકર શબ્દો कित्तिय-वंदिय-महिया, जे ए लोगस्स् उत्तमा सिद्धा । आरुग्ग बोहिलाभ समाहिवरमुत्तमं दिंतु ॥६॥ વિત્તિ-વંદિર-મદિય-તિ -પતિ -મહિતા:)કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજા કરાયેલા. “ીર્તિત' એટલે ચોવીસ તીર્થંકરના નામોથી કહેવાયેલા “જિત' એટલે ત્રિવિધયોગ વડે (મન, વચન, કાયા) વડે સારી રીતે સ્તુતિ કરાયેલ. “મહિમા' નું સંસ્કૃત “મા' કરી તેનો અર્થ “મારા વડે અથવા તો મિરિયા પાઠાંતર છે. એટલે તેનું સંસ્કૃતમાં મહિલા ઉ કરી તેનો અર્થ પુષ્પ આદિથી પૂજાયેલ8. લલિતવિસ્તરામાં “મદિરા' પાઠને સ્થાને મહિલા માન્ય કરી પુષ્પઆદિથી પૂજાયેલા એ પ્રમાણે કરે છે. બાકીનું ઉપર પ્રમાણે છે. વંદાવૃત્તિમાં “જિતા' નો અર્થ કાયા, વાણી અને મન વડે ખવાયેલ
SR No.032492
Book TitleJain Dharmma Nam Smaranni Avdharna
Original Sutra AuthorN/A
AuthorManharbala Kantilal Shah
PublisherAntararashtriya Jain Vidya Adhyayan Kendra
Publication Year2008
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy