________________ સ્વાશ્ય અને શીલવત માત્ર અનેક વખત ભોગ ભોગવવાથી જેમ 2 થી 9 લાખ સમૂચ્છિમ્ પંચેન્દ્રિય જીવોની હત્યાનું પાપ લાગે છે. તેમ શરીર વિજ્ઞાનીઓ કહે છે, કે એક વખતના ભોગમાં 3 થી 10 દિવસ જેટલી માનસિક શારિરીક શક્તિનું નુકસાન થાય છે. તેથી જ દીધું જીવનની, સ્વાવલંબી જીવનની જો પ્રાપ્તિ કરવી હોય તો ક્ષણભરના સુખને ત્યજી અનેક ભવના દુઃખોને આમંત્રો નહિં. પ્રાચીન કાળમાં વૈદ્યો કોઇ પણ દર્દની દવા દર્દીને આપે તો તે પહેલા વિધેયાત્મક પથ્ય પાળવાનું ભારપૂર્વક કહેતા હતા. કોઇ પણ દવા રોગને દૂર ક્યારે કરે ? જ્યારે રોગને પોષક તત્ત્વો શરીરમાં ન જાય ત્યારે. માટે જ શરીરની સુખકારી શીલવ્રતને પાલનમાં છુપાઇ છે. એ નિશ્ચિત છે. કિર્મશાસ્ત્ર ને શીયળ | કર્મ 8 છે. 4 ધાતી જે કર્મનો નાશ કરે અને 4 અધાતી જે બાંધેલા કર્મભોગવે. વેદનીય કર્મ અધાતી કર્મમાનું એક છે. તેના દ્વારા જીવ સુખ દુઃખનો અનુભવ કરે છે. શારીરિક સુખ ત્યારે જ મળે જ્યારે જીવદયાનું ઉત્તમ રીતે પાલન કર્યું હોય તો.. જે આત્મા શીલવતને પાળે છે. તે 2 થી 9 લાખ સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવોને અભયદાન આપે છે. આમ જે બીજાને સુખ આપે છે તે પોતે સુખી થાય છે. ધાતી કર્મમાં અંતરાય કર્મ છે. તેના પાંચ ભેદ છે. વીર્યાન્તરાય અને ભોગવંતરાય એમ તેમાંના બે ભેદ છે આમ શક્તિનો વિકાસ કે ભોગ ઉપભોગ સંયમી વપરાશ કરનાર નવા કર્મ બાંધતા નથી. સુવર્ણાક્ષરે લખાયેલા બ્રહ્મચારીઓ / આ નવ નારદ - બ્રહ્મચર્યના કારણે મોક્ષે ગયા. સ્થૂલિભદ્રજી - સંસારી અવસ્થામાં કોશા વેશ્યાને ત્યાં રહ્યાં છતાં સંયમી થઇ ચોમાસું કરતાં વેશ્યાને શ્રાવિકા બનાવી પોતે નિષ્કલંક બ્રહ્મચારી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. 84 ચોવીશી નામ અમર રહેશે. જ વિજય શેઠ- વિજયા શેઠાણી ત્રિવિધે બ્રહ્મચર્ય પાળી સંયમ લઇ ધન્ય બન્યા, વિમળ કેવળીના વચન અનુસારતેઓની ભક્તિમાં 84 હજારસાધુની ભક્તિનું પુણ્ય થશે. સુભદ્રા સતિએ ચંપાનગરીના દ્વાર ખોલ્યા. રાણી કલાવતિના સેવકોએ રાજાજ્ઞાથી બન્ને કાંડા કાપ્યા, પણ શીયળના પ્રભાવે