SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આ બન્ને હાથ જેવા હતા તેવા થઈ ગયા. સતિ અંજના ઉપર કલંક લગાડ્યું પણ શીલવ્રતધારીનું 22 વર્ષ બાદ પવનંજય સાથે સમાધાન થયું. સતિ દ્રોપદીનું રાજા પધોત્તરે હરણ કર્યું પણ દ્રઢ મનવાળી સામે તેનું કાંઇ ન ચાલ્યું. રાણકપુર તીર્થના નિર્માતા ધરણા શાહે 21 વર્ષની યુવાન વયે બ્રહ્મચર્ય સ્વીકાર્યું. રહનેમિને રાજીમતિજીએ બ્રહ્મચર્યમાં સ્થિર કર્યા. અષાઢાભૂતિ ભાન ભૂલેલી નટકન્યાને જોઇ ફરી સંયમી થયા. સુદર્શન શેઠ અભયારાણીની ઇર્ષાના કારણે આપત્તિમાં આવ્યા પણ દ્રઢ વ્રતના કારણે શૂળીનું સિંહાસન કર્યું. સતિ સીતાની અગ્નિ પરીક્ષા થઇ. મહામંત્રી પેથડ શાહ - 32 વર્ષની યુવા ઉમરે બ્રહ્મચારી થયા. | શીલનું પાલન ન કરનારા દુઃખીયારા) કુબેરદત્ત - કુબેરદત્તા એક ભવમાં અનેક (18) નાતરા થયા. વેગવાન - ધનમાલાના સુખની વિધાધરે ઇર્ષા કરી અપહરણ કર્યું. મુનિ કુલવાલક - જંગલમાં ગયા છતાં કર્મ વેશ્યાના કારણે જીવન બગડ્યું. રાવણે વિષયાંધ થઇ સીતાનું હરણ કર્યું. રાજા ભુંજને તિલંગદેશની રાજકન્યાના કારણે ઘરે ઘરે ભીક્ષા માગવી પડી. બ્રહ્મદત્ત ચક્રવર્તી સ્વપત્નિ કુરુમતિમાં ઘણો આસક્ત હતો તેથી મૃત્યુ સમયે પણ તેનું રટણ કરી નરકે ગયો. ઉત્તમ સાધક ચિત્રમુનિને સનતચક્રીની પટરાણી સુનંદાના વાળ માત્રનો સ્પર્શ થયો. તેથી મુનિએ વિવશ થઇ નિયાણું કર્યું. ઉત્તમોત્તમ નારીનો સ્વામી થાઉ. પરિણામે એ બ્રહ્મદત્ત ચક્રી થયા. કુમારનંદી સોનાર હાસા પ્રહાસા પાછળ પાગલ થઇ અગ્નિકુંડમાં બળી મર્યો. કુંડરિક મુનિ પુંડરિક રાજાની સેવા સુશ્રુષાના તથા 2 દિવસના રાજ્યલોભે નરકે ગયા. *
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy