________________ રામાન - સ્ત્રીની સાથે કરેલો સમાગમ (ભોગ) નરકની ખાણ છે. માટે હે આત્મન્ ! ચેત. કિંપાકના ફળ જેવાં અબ્રહ્મના સેવનથી વિરામ પામ. અટકી જા. ' બ્રહ્મચર્યના પાલન કરતી વખતે નજર સામે મુનિઓ જે પાંચ ભાવના ભાવતા હોય છે. તે 1. આહારથી ગુપ્ત હોય, 2, અવિભૂષિતાત્મા હોય, 3. સ્ત્રીને (રાગાદિ) નજરે ન જૂએ, 4. સ્ત્રીના સંસ્તવ ન કરે અને 5. યુદ્ધ કથા ન કરે. તે ભાવનાને ધ્યાનમાં રાખવી જરૂરી છે. સારી ભાવના, સારા વિચાર, વતપાલનમાં સારું મનોબળ આપે છે. ચાર ગતિમાં રહેલાં જીવોમાંથી ત્રણ ગતિના જીવો ઓદારિક અને દિવ્ય (વેક્રિય) એ બે ભેદમાંથી ગમે તે રીતે મૈથુનનું સેવન અલ્પ યા અધિક માત્રામાં કરે છે. નરકના જીવોને તો અશુભલેશ્યા, મૈથુન, કષાયો અદિ દ્વારા જે કુકર્મો કર્યા હોય તે ભોગવવાના જ હોય છે. દેવગતિના જીવો તો વૈષયિક સુખના પરમ અનુભવી હોય છે. આઠમાંથી ૧૪માં રાજલોક સુધીમાં તેઓ ક્રમશઃ સુખ સમૃદ્ધિ આયુષ્યાદિની વૃદ્ધિનો અનુભવ કરનારા હોય છે. એટલે તેઓનું મૈથુન સેવન પણ ક્રમશઃ ઓછું થતું જાય છે. માત્ર વિરતિના પચ્ચખાણનો સ્વીકાર કરી શકતા ન હોવાથી જે રીતે લાભ મળવો જોઈએ તે રીતે લાભ મેળવી શકતા નથી. (ન ભોગવવાં છતાં ત્યાગી કહેવડાવી શકતા નથી.) દેવલોક દેવલોકના નામ ભોગવવાના પ્રકાર સૌધર્મ ઇશાન માત્ર શરીરથી સુખ ભોગવે. 3/4 સનત મહેન્દ્ર દેવીના અવયવોને સ્પર્શી આનંદ પામે. બ્રહ્મ / લાંતક દેવીઓના માત્ર રૂપ જોઇને તૃપ્ત થાય. મહાશુક, સહસ્ત્રાર દેવીઓના માત્ર શબ્દોનું શ્રવણ કરી તૃપ્ત થાય. આનત / પ્રાણત દેવીઓના માત્ર મનથી સ્મરણ કરી તૃપ્ત થાય. આરણ અશ્રુત ચિંતન કરી વૈષયિક સુખ અનુભવે. બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરવાથી જીવને વિધવાપણું, વંધ્યાપણું, મૃતક પુત્રનું જન્મવું, યોનિ પેટમાં શૂળાદિ ઉત્પન્ન થવું વિગેરે રોગ અને દુઃખો આત્માને ભોગવવા પડે છે. હાથના કર્યા હૈયે વાગે અથવા બીજાને દુઃખ આપવાથી આર્થિક સાનુકૂળતા હોવા છતાં ડાયાબિટીસના રોગીને મીઠું ગળપણ ચાળખા પણ મળતું નથી. એમ જીવ અકલ્પનીય દુઃખ પામે છે. તેથી વ્રતને અખંડ રીતે શ્રદ્ધાથી પાળવું જોઇએ. 1/2 W8