________________ देव दाणव गंधवा, जक्ख रक्तस्स किन्नरा / बंभयारी नमसंति, दुक्करं जे करंति त / / - ઉત્તર ક. 16 ગ્રા. 16 ભાવાર્થ - જે દુષ્કર બ્રહ્મચર્ય વ્રતની આરાધના કરી રહ્યા છે તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. આત્મા સ્વભાવથી જ બ્રહ્મસ્વરૂપી, વેદાતીત, પ્રકાશનો પુંજ અને જયોર્તિમય છે. તેમ છતાં અજ્ઞાન વશ ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતા અનેક વખત દેવ દેવી. પુરષ સ્ત્રી, તિર્યંચમાં નર માદાના રૂપમાં ઉત્પન્ન થયો. પર વસ્તુ અને પર વ્યક્તિ દ્વારા આકર્ષિત બની સાત પ્રકારના અબ્રહ્મ (દષ્ટિ, આહાર, પોષાક, ભાષા, મન, વાણી અને કર્મ) થી ઇન્દ્રિયોને તૃપ્ત કરતો રહ્યો. દુષિત કામનાઓની પૂર્તિ હેતુ સતીઓની લજ્જા તૂટી, શ્રધ્ધાવંતોની શ્રદ્ધા ભ્રષ્ટ બની, કામિનીઓની પ્રાપ્તિ માટે યુદ્ધ થયા પંચેન્દ્રિયોનો હત્યાઓ થઇ છતાંય આ વાસનાઓના તોફાન શાંત ન થયા. હવે અનંતજ્ઞાનીઓએ, બતાવેલા રાહ/ચાહ નિહાળીએ.. શ્રાવકનાં 12 વ્રતમાંના ચોથા વ્રતનું નામ છે. રવદારાસંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રત. -- “એ વ્રત જગમાં દીવોની પંક્તિ દ્વારા મહાપુરુષોએ શાસ્ત્રને પાને પાને બ્રહ્મચર્યનાં જબરદસ્ત ગુણગાન ગાયાં છે. તાકાત હોય તો જીવનભર બ્રહ્મચર્ય પાલનના માર્ગને અપનાવી લેવો. પરંતુ કુસંસ્કારોની, કર્મોની ગુલામીને કારણે કદાચ એવું સત્ત્વ ફોરવવાની તાકાત ન જ દેખાતી હોય તો પછી કમસે કમ પરસ્ત્રીના વિષયભોગનો સંપૂર્ણ ત્યાગ કરવા સાથે સ્વસ્ત્રીમાં પણ સંતોષ રાખવો એ પણ બ્રહ્મયર્ય પાલનની જીવનમાં શક્યતા ઊભી કરવાનો રસ્તો છે. એક વાત આપણે એ સમજવી છે કે જીવને વાસનાની આટલી બધી ગુલામી કેમ છે ? વિચાર કરતાં, ઘણાં કારણોમાનું એક કારણ એક દેખાય છે કે આ જીવને અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતીવાર રસનેન્દ્રિયનો, ધાણેજિયનો ચક્ષુરિન્દ્રિયનો અને કર્મેન્દ્રિયનો વિરહ થયો છે પરંતુ સ્પર્શનેન્દ્રિયનો વિરહ કોઇ ગતિમાં ક્યારેય થયો નથી. સઘળી ગતિના સઘળા ય ભવોમાં આ સ્પર્શનેન્દ્રિયનો તો મળી જ છે. અને તેને કારણે જ તેના વિષયો તરફ આ જીવનું આકર્ષણ ખૂબ ભારે છે. તેથી સ્પર્શનેન્દ્રિયજન્ય સુખ તરફ જીવને હેયતાની બુદ્ધિ પેદા થવી પણ મુશ્કેલ બની છે. અલબત્ત, શાસ્ત્રચક્ષુથી આવી ભયંકરતા જોઇ. તેની ચુંગાલમાંથી છૂટવાના શાસ્ત્રકારોએ જે ઉપાયો બતાવ્યા છે તેને જો જીવનમાં આદરીએ, તો બળવાનમાં