________________ છે એ વ્રત જગમાં દીવો કે ચતુર્થ વ્રત છે બ્રહ્મચર્ય. આત્માને જડ પદાર્થોનું આકર્ષણ એજ અબ્રહ્મ છે. શરીરનો સ્વભાવ છે વાત, પિત્ત, કફ મનનો સ્વભાવ છે કામ, ક્રોધ, લોભ, આત્માનો સ્વભાવ છે સત્ ચિત્ત આનંદ શરીર કરતા મન ચડે અને મન કરતા આત્મા ચડે શરીરની સમસ્યા મન દ્વારા Solve થાય મનની સમસ્યા આત્મા દ્વારા Solve થાય આત્માની સમસ્યા પરમાત્મા દ્વારા Solve થાય. બ્રહ્મચર્યનો અર્થ આટલો જ છે. આત્માને તેના સ્વભાવમાં રમવા દો. સર્વ પાપોનો ત્યાગ ન થાય તો શકય પાપોનો ત્યાગ કરો. * નિર્મળ વૃત્તિ નિર્મળ પ્રવૃત્તિ વગર થતી નથી - સાધુ છે સુખનો ત્યાગી. શ્રાવક છે સુખનો વૈરાગી. તમારા સુખમાં સ્વછંદતા છે. સાધુના દુઃખમાં જિનાજ્ઞા નું પાલન છે. ભાગ્ય ભોગવવાના ભાવો ઘણા છે. પણ ભાગ્યને ઘડવાનો ભવ આ એક છે. * સ્વદારામાં સંતોષ ખરો પણ સ્વદારામાં પણ સંતોષ રાખવાનું છે. કપાળે ચાંદલો એલાન કરે છે કે ક્યાંક આપણે બંધાઇ ગયા છીએ. * ધર્મના પ્રવેશ માટે ત્રણ તબક્કા. * શિવમાં શિવના દર્શન (ભક્તિ) * જીવમાં શિવના દર્શન (મંત્રી) * જાતમાં શિવના દર્શન (શુદ્ધિ). * બરફીમાં ત્રણ ચીજો જોઇએ રંગ, આકૃતિ, વજન, ધર્મી આત્મામાં પણ ત્રણ ભૂમિકા જોઇએ. ભક્તિ, મૈત્રી, શુદ્ધિ.