SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ બળવાન ગણાતી કામવાસના પણ પરાજિત થયા વિના રહે નહિ. એ નિઃશંક છે. .વાસનાને ઉત્તેજિત કરનારાં મુખ્ય તત્ત્વો ત્રણ છે. 1. કુસંસ્કારો 2. તેને પ્રગટ કરવામાં સહાયક બનતાં કુનિમિત્તો 3. કુનિમિત્તોની ગેરહાજરીમાં ય ચિત્તને સતત વાસનાગ્રસ્ત બનાવી રાખતા કુવિચારો.... કસંસ્કારો તો પ્રાય: કરીને મોટાભાગના જીવો પૂર્વભવોમાંથી લઇને જ આવ્યા હોય છે. અને એટલે જ ક્યારેક તો મામૂલી પણ કનિમિત્ત તેના જીવનને પાયમાલ કરી નાખ્યા વિના રહેતું નથી. પરંતુ જો કુનિમિત્ત ન મળે તો મોટે ભાગે કુસંસ્કારો હેરાન કરતા નથી.. કુનિમિત્તોમાં એક પ્રકારનાં નિમિત્તોમાંનું એક નિમિત્ત છે વિગઈઓનું સેવન. વિગઇઓ એ વિકારોની જન્મદાત્રી છે. જેના જીવનમાં કોઇપણ જાતના ખચકાટ વિના વિગઇઓનું સેવન ચાલુ છે તે કાયાથી કદાચ પવિત્ર દેખાતો હોય તો ય માનસિક રીતે તેનામાં પવિત્રતા હોવાની ખૂબજ ઓછી સંભાવના છે... - પેલા બ્રહ્મદત્ત ચક્રવર્તીનો બાળપણનો ગોઠીયો ચિદાનંદ, બ્રહ્મદત્તની સભામાં ગયો. બ્રહ્મદર ઓળખી ગયો ચિદાનંદને. બ્રહ્મદને પૂછ્યું, “બોલ, શું જોઇએ છે ?' આપવા માંગતા જ હો, તો મને અને મારા સંપૂર્ણ કુટુંબને એક ટંક માટે આપ જે ભોજન કરો છો તે જ ભોજન આપો... “ચિદાનંદ ! બીજું કાંઇ માંગી લે.હીરા માણેક મોતી જોઇતાં હોય તો તે આપી દઉં. ધન ધાન્યથી કહેતો હોય તો તારા કોઠારો ભરી દઉં. અરે ! કો'ક રાજ્યના રાજા બનવું હોય તો તે બનાવી દઉં..પણ પણ ભોજનના આગ્રહને જતો કરી દે. તારા જીવનમાં રહેલી પવિત્રતાને ખલાસ કરી દેશે આ ભોજન !" “ના, રાજન ! આપવું જ હોય તો એ ભોજન જ આપો.બ્રાહ્મણકુળના પવિત્રતાના સંસ્કારોની મારી પાસે મૂડી છે. એ મૂડીને સફાચટ કરી નાખવાની તાકાત કોઇનામાં નથી અને આપ એ ભોજન ન જ આપવા માંગતા હો તો મારે બીજું કાંઇ જોઇતું નથી. ચિદાનંદની માંગણી આગળ બ્રહ્મદત્ત ઝૂકી ગયો. પરંતુ ચિદાનંદના ભાવિની કલ્પના કરતાં તે ધ્રુજી ઉઠ્યો... સાંજના ચિદાનંદ સહકુટુંબ બ્રહ્મદત્તને ત્યાં ભોજન લેવા ગયો.વિગઈ ભરપૂર
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy