________________
ચાલવું.
વારંવાર નહાવાની અને વારંવાર હાથ મોં ધોવાની ટેવ છોડો. એઠું મૂકો નહિ. ઇન્સ્ટન્ટ ફૂડ, ઠંડાપીણાદિનો ત્યાગ કરો.
પ્લાસ્ટીકની ઝબલા થેલીનો ત્યાગ કરો. • ફટાકડા ફોડવા નહિ. • પશુ પક્ષીને ગોફણ પથ્થર આદિથી ન મારવા. • બાથ, તળાવ, ધોધ આદિમાં ન જવું.
અતિચાર | નીચે જણાવાતા અતિચારો જાણીને છોડવાનો પ્રયત્ન કરવો.. ૧) વધ:- કોઇનો વધ કરવો, કે કોઇના પ્રાણોને નાશ થાય તે રીતે મારવું તે. ૨) બંધ:- બાળકાદિ કે પશુ વગેરેને ગાઢ બંધનથી બાંધવા તે. ૩) છવિચ્છેદ - કોઇ પ્રાણી આદિથી ચામડી કે અંગોપાંગ કાપવા તે. ૪) અતિસાર - મજૂર, પશુ કે વાહન પર તેના ગજા ઉપરાંત ભાર લાદવો તે.
૫) ભાત પાણી વિચ્છેદ - મનુષ્ય પશુ વગેરેને ભોજન - પાણીનો અંતરાય કરવો તેના ખાવા પીવાના સમય કરતા મોડું આપવુ કે પ્રમાણ અલ્પ આપવુ તે..
ત્રસ, સ્થાવરની હિંસા નહિ, નિરપરાધીની હિંસા નહિ, સંકલ્પપૂર્વકની હિંસા નહિ. પશુ બાળક, નોકર ને સકારણ મારવા પડે પણ દુભાતા હૈયે કરવું. કારણ વિના ન
મારવા
મુંબઈમાં એક ભાઇ વ્યાખ્યાનમાં સાંભળતાં સ્નાન કરવા બેસતાં પહેલાં બેસવાનો પાટલો અજવાળામાં ખાસ જોઇ લેવો.' તેની વ્યાખ્યાનમાં વાત ચાલતી હતી. બીજે દિવસે વ્યાખ્યાન પહેલાં તે ભાઇ આવ્યા.. કહે, સાહેબ ! કમાલ થઇ ગઇ ! કેમ શું થયું ? આજે સ્નાન કરવા બેસતાં પહેલાં પાટલાને ચારે ય બાજુથી બરાબર જોયો લગભગ ૪૦ થી ૫૦ જેટલાં જીવડાંઓ પાટલા પર બેઠેલાં હતાં.... બાથરૂમમાં ઠંડકને કારણે એ જીવડાઓ આવીને પાટલા પર બેસી જતા હશે.. આજે જોયું તો ખબર પડી. પાટલાને એક બાજુ લઇ જઇ આસ્તેથી તેના પરનાં જીવડાંઓ દૂર કર્યા. સાહેબ ! અત્યાર સુધીમાં આવા ઘણા જીવોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો !. ખેર ! હવેથી બાથરૂમમાં પાટલો જ ન રાખવાનો. નિર્ણય કર્યો છે !... કારણ ઘગ્ના બધા સભ્યોને આવી કાળજી