________________
પરિણામની કોમળતા અહિંકાચાર્ય !
અણિકાપુત્ર આચાર્યના જીવનમાં ભયંકર ઉપસર્ગ આવ્યો. નદી પાર કરતા પૂર્વ ભવના વેરના કારણે ભાલાથી વિંધાયા. આંતરડા બહાર નીકળી આવ્યા. માંસલોહી નીકળે છે. એમને એની વેદના નથી પણ અપકાયના જીવોની વિરાધનાથી વેદના થાય છે.
“ધન્ય છે સિદ્ધોને ! શરીરનથી માટે હિંસા નથી, શરીર છે તો એના દ્વારા હિંસા જોરદાર છે. શરીર જન્મ છે. લાખોજીવોના સંહાર પર ! શરીર ટકે છે લાખો જીવોના સંહાર પર. શરીર મરે છે લાખો જીવોના સંહાર પર !
માટે તો શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે કઠોરતા કેળવવાના ભવો આ દુનિયામાં ઘણા... કોમળતા કેળવવાનો ભવ એક માત્ર મનુષ્યગતિનો જ !... ઝાંઝરીયા ઋષિ... ખંધકવિ.. મેતારજ યુનિ. ગજસુકુમાળ. ધન્ના.. શાલિભદ્ર વગેરેનાં કોમળતાનાં આચરણનાં જ્વલંત દષ્ટાંતો આપણી સામે મોજુદ છે..
દુનિયાના રાહ જુદા છે.. “થાય તેવા થઇએ તો ગામ વચ્ચે રહીએ ના સૂત્ર પર દુનિયા ચાલે છે. “શક્તિ હોય તો સહન જ કરજો.. સામનો કરશો જ નહિ.' એ સૂત્ર પર શાસ્ત્રકારો ચાલે છે. આપણે આત્મઘાતક રાહ અનાદિકાળથી પકડ્યો છે. જ્યાં તક મળી ત્યાં પ્રતિકાર કર્યો છે... તક મળી ત્યાં સામાને દબાવ્યા છે. હવે એ છોડીએ તો જ સદ્ગતિ..સમાધિ. સુસંસ્કાર.. શાંતિ વગેરે શક્ય છે. | બાકી, બીજાને ખતમ કરીને જીવવાની વૃત્તિ તો તિર્યચોમાંય ક્યાં નથી ? લાતનો જવાબ લાતથી ગધેડો ય આપે છે. ભસવાનો જવાબ ભસવાથી કૂતરો ય આપે છેઆપણે પણ જો આ જ રાહ અપનાવીએ તો આપણામાં અને ઢોરોમાં ફેર શું ? - પેલા યુવકની કથા આવે છે ને ?... સવારના પહોરમાં રસ્તા પરથી પસાર થતો હો... અચાનક ઉપરથી ઇંટ પડી સીધી પોતાના ખભા પર, ગુસ્સે થઇ ગયો. હાથમાં એ ઇંટ લઇને ઉપર ચડ્યો. ઇંટ ફેંકનારના માથામાં જ આ દેટ લગાવી દઉં' ઉપર જઇને જોયું તો એક પહેલવાન દંડ-બેઠક કરતો હતો. “આને ઇંટ મારવા જઇશ તો ક્યાંય ઉચકીને મને જ નીચે ફેંકી દેશે. એ વિચારે પેલો યુવક મૌન.. પહેલવાને તેની સામે જોયું. “અય ! ઉપર કેમ આવ્યો છે ? ના. ખાસ કાંઇ નથી. આ તો તમારી ઇંટ ઉપરથી નીચે પડી ગયેલી તે આપવા આવ્યો છું. અને હા ! બીજું કાંઇ કામકાજ હોય તો કહેતા રહેજો.. હું બાજુમાં જ રહું ...!”
જોયું ને ? ગયો હતો મારવા, પણ જ્યાં જોયું કે સામો કમજોર નથી, પરંતુ બહાદૂર છે. ત્યાં તરત જ વિચાર ફેરવી નાખ્યો. આમ બહાદુરોનું તો ઘણું સહન કર્યું છે...