________________
सवे पाणा पियाउया, सुहसाया दुकरव पडिकुला
आचारांग अ. २ उद्देश - ३ सव्वे जीवावि इच्छन्ति, जीविउं न मरिज्जिउं ।।
__ दशवैकालिक
अ. ६ गाथा ११ ભાવાર્થ - સર્વ જીવોને જીવન પ્યારું છે. બધાજ સુખના જ અભિલાષી છે.
દુઃખ કોઇને ગમતું નથી. બધા પ્રાણીઓને પોતાનું આયુષ્ય બહુ
પ્રિય છે. સુખ ચાહે છે પણ મૃત્યુ કોઇજ ઇચ્છતું નથી. પ્રભુએ સાડા બાર વર્ષની ઘોર સાધના કરી. કર્મો એમના પર તૂટી પડ્યા. અંતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. દેવતાઓએ સમવસરણની રચના કરી. પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળતા ગઇ. પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં દેશના આપી. શાસનની સ્થાપના કરી. ગણધર પદની સ્થાપના કરી. સાધ્વી ચંદનબાળાને દીક્ષા આપી તે પ્રથમ સાદવી બન્યા. જે ગૃહસ્થો સર્વ વિરતિ ન પામ્યા તે મોક્ષમાર્ગની આરાધના રૂપે શ્રાવક દીક્ષા પામ્યા. પ્રભુએ કોન્સોલેશન પ્રાઇજ રૂપે શ્રાવક દીક્ષા આપી. ચતુર્વિધ સંઘ બને તો જ શાસનની સ્થાપના કહેવાય. ૨૧ હજાર વર્ષ પૂર્ણ થતાં જ્ઞાનીઓ જાહેર કરશે કે શાસનનો વિચ્છેદ થયો. છેલ્લા ચાર અવશેષો મૃત્યુ પામશે ત્યારે શાસનનો અંત થશે. શાસનનો વિચ્છેદ થશે. સાધુપણાંનો શ્રાવકપણાનો વિચ્છેદ સાથે રહેલો છે. માત્ર સાધુ વિચ્છેદથી નહીં પણ શ્રાવક પણાના વિચ્છેદથી પણ શાસનનો અંત થશે.
ચતુર્વિધ સંઘની ગેરહાજરીથી શાસનનો અંત ચતુર્વિધ સંઘની હાજરીથી શાસનની શરૂઆત !
આજના આવા ભૌતિક કાળમાં સંયમ સ્વીકારાય છે. તે મહાઆશ્ચર્ય છે. આજે શ્રાવકપણાનો દુષ્કાળ છે એમાં ખામી અમારી તમારી બની છે. તમારા મગજમાં છે કે સંસારમાં રહીને ધર્મ ન થાય. ફેક્ટરી તો નાંખવી જ પડે ! પણ સંસારમાં તો સંસારની રીત જ રહેવાય. આજે શ્રાવક જીવનની દીક્ષાનો અભાવ વર્તાયો છે. પાપોની ભયંકરતા, ટી.વી. અને ચેનલોથી થતાં અધ્યવસાયોની હિંસકતા, કામ-વિકારોના અધ્યવસાયોથી થતા પાપો, અભક્ષ્ય વિગેરેના પાપો, અપેયના પાપો, ફ્રીજ વગેરેના પાપો, રાત્રિભોજનના પાપો પેસી ગયા છે. ટી.વી. આદિનો બહિષ્કાર અત્યંત દુષ્કર છે. ૫૦ યુવાનો દીક્ષા લે છે પણ પાંચના ઘરમાંથી ટી.વી. ન નીકળે ? શ્રાવકોને ૧૨ વ્રતો પ્રત્યે ભાવ નથી. સંસારમાં આવું ન થાય ! એવી માન્યતા છે. શાસ્ત્રીય રીતે શ્રાવકધર્મની દીક્ષા લેવી. સાધુઓ