SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પોસહ કરીએ ભગવાન સાથે મુલાકાત કદાચ સહેલી, ગુરુ સાથે મુલાકાત કદાચ સહેલી, પણ જાત સાથેની મુલાકાત સૌથી કઠિન છે. ભગવાનની બેઠક કાન આગળ નથી, જીભ આગળ નથી, પણ હૃદય આગળ છે. ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું' ની શ્રેષ્ઠ અનુભૂતિ તે પૌષધ. પુણ્યના ઉદયકાળમાં પ્રલાપ સુલભ છે. પાપના ઉદયકાળમાં વિલાપ (ફરિયાદ) સુલભ છે. ધર્મના ઉદયકાળમાં સંલાપ સુલભ છે. કાર્ય સારું કરવું તે વિચારીને કરવું, તરત કરવું, સરસ કરવું, જાતે કરવું અને પુરુ કરવું. નિર્મળવૃત્તિ નિર્મળ પ્રવૃત્તિ વગર રહેતી નથી. | સંગ અને રંગ બન્ને ફેરવી નાંખે તેનું નામ સંત અગિયારમું વ્રત છે, પૌષધોપવાસ. ચાર પ્રહરનો કે આઠ પ્રહરનો પૌષધ કરવો. આ પૌષધમાં દેશથી કે સર્વથી આહારનો ત્યાગ તથા શરીર સત્કારનો સર્વથા ત્યાગ.. બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન અને સંસાર વ્યાપારનો ત્યાગ કરવાનો હોય છે. સંયમજીવનનો કંઇક આસ્વાદ કરાવનાર આ પૌષધ એ શ્રાવક જીવનનું સુંદર આભૂષણ છે. દુર્ગતિદાયક આરંભ સમારંભથી સર્વથા નિવૃત્તિ બનાવવાની સાથે અનંતા જીવોને અભયદાન આપનાર આ પૌષધની આરાધના કરવાની તક જ્યારે મળે ત્યારે ઝડપી લેવી... - પેલા પૌષધમાં રહેલ સુવ્રતશેઠને ત્યાં ચોરો ચોરી કરવા આવ્યા. ચોરી કરવાની તો બાજુએ રહી પણ ઘરમાં જ થંભી ગયા... રાજાના સૈનિકોએ તેઓની પકડીને રાજાની પાસે રજૂ કર્યા. રાજાએ તેઓને ફાંસીને માંચડે લટકાવી દેવાનો હુકમ આપ્યો.. સવારના સુવ્રતશેઠે જ્યારે પૌષધ પાર્યો ત્યારે તેમને આ સમાચાર મળ્યા... તુર્ત જ ઝવેરાતનો થાળ લઇ રાજા પાસે ગયા. રાજાના ચરણે થાળ મૂકી વિનંતિ કરી કે, “મારા ઘરમાં ચોરી કરતા પકડાયેલા ચોરને છોડી મૂકો પછી જ પારણું કરીશ..” રાજા તો સ્તબ્ધ થઇ ગયો... પરંતુ સુવ્રતશેઠના આગ્રહને વશ થઇને ચોરોને છોડી મૂક્યાં.. ચોરો તુર્ત જ અભયદાન આપનારા દરિયાવ દિલ સુવ્રતશેઠના ચરણમાં આળોટી પડ્યા.. “શેઠ ! માફ કરો ! ISISIના ૧૬૫ DESIકાના
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy