SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ જિંદગીમાં આવા ધંધા હવે પછી નહિ કરીએ..” સુવતશેઠે તેઓને સારો ધંધો કરવા માટે રકમ આપી અને પાછું કહ્યું કે “ભવિષ્યમાં ક્યારેય જરૂર પડે તો મારી પાસે આવી જજો પરંતુ ચોરીના આવા પાપી ધંધા ન કરતા.' આવી ઉદાત્ત મનોવૃત્તિ પેદા કરવામાં ભારે ઉપકારી બનતા આ પૌષધવ્રતને જીવનમાં આચરવું જોઇએ. પૌષધ ચાર કે આઠ પહોરનો અને ઉપવાસ આયંબિલ નીવિ એકાસણાદિ તપ સહિત કરવાનો હોય છે. પૌષધના પચ્ચકખાણ કરેમિભંતે સૂત્ર દ્વારા જ થોડા સુધારા સાથે થાય છે. તેમાં મુખ્યત્વે શ્રાવક છ કોટી (પ્રકારના)ના પચ્ચકખાણ કરે ઉપરાંત નીચેની ચાર પ્રવૃત્તિનો વિશેષ ત્યાગ કરવાનો જ હોય છે. ૧. આહાર પોસહ - વ્રત દરમ્યાન ભોજન આહારનો સંપૂર્ણ ત્યાગ (અથવા ધારણા પ્રમાણે વસ્તુઓ વાપરવાની સ્વીકારી બાકીના ભોજનનો ત્યાગ) કરૂં . ૨. શરીર સક્કાર પોસ- શરીરની શોભા કરવા માટે પ્રવૃત્તિ કરાય છે. તે ન કરવા રૂપ પોસહ (પચ્ચકખાણ કરું છું.) ૩. ગંભીરે પોસહ-પૌષધના કાળ દરમ્યાન બ્રહ્મચર્યના પાલન કરવા રૂપ પોસહ કરું ૪. અવાયારય પોસહ - અવ્યાપાર (મન, વચન, કાયાના સાવદ્ય વ્યાપારરૂપ)ને પાલન કરવા પોસહ કરૂં છું. પૌષધની ૧૧ પડિયા ૧. સર્વદર્શન પડિમા- સુધી મહિના ધર્મમાં દ્રઢશ્રધ્ધા રૂચિ, સમ્યક્ત સમકિતના દોષોના ત્યાગ, ત્રિકાળ દર્શન, પૂજા, એકાસણું, પ્રતિક્રમણ વિ. ૨. વ્રત પડિયા - બે મહિના સુધી દર્શન પડિયા સહિત ૧૨ વ્રતોનું પાલન ત્રિકાળ પૂજા, એકાસણું પ્રતિક્રમણ વિ. - ૩. સામાયિક પડિયા - પ્રથમ બે પડિયા સહિત ત્રણ મહિના સુધી દેશાવગાસિક વ્રતનું પાલન. ૪. પૌષધ પરિમા - પ્રથમ ત્રણ ઉપરાંત ચાર મહિના (પાંચ દશ તિથી) પૌષધવ્રત પાલન. ૫. કાર્યોત્સર્ગ પડિ મા - પ્રથમ ચાર ઉપરાંત પાંચ મહિના સુધી ધ્યાન સંપૂર્ણ રાતના કરવી. તથા ૧. સ્નાન ન કરવું. ૨. રાત્રી ભોજન ત્યાગ. ૩. ધોતિયાનો કછોટો ન બાંધવો. ૪. બ્રહ્મચર્ય પાલન. ૫. રાત્રે અલ્પ પ્રમાદ કરે. ૬. બ્રહ્મચર્ય પડિયા - પ્રથમ પાંચ સહિત છ મહિના સુધી મન વચન કાયાથી બ્રહ્મચર્યનું
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy