________________
પ્ર. ૧૩ પોતાનું રૂપ બતાવીને મર્યાદા બહારથી કોઇને બોલાવેલ હોય કે વસ્તુ મંગાવેલ
હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર રૂવાણુવાએનો અતિચાર લાગે. પ્ર. ૧૪. કાંકરો આદિ નાંખી મર્યાદા બહારથી કોઇને બોલાવેલ હોય તો કયો અતિચાર
લાગે ? ઉત્તર બહિયા પુગ્ગલપકુખેવેનો અતિચાર લાગે.
થાળી ધોઇને પીવાથી આયંબિલનો લાભ કેમ ?
આયંબિલમાં તો કષ્ટ છે. થાળી ધોવામાં કષ્ટ નથી તો પણ લાભ કેમ ? મુંબઇમાં બે હજારના જમણમાં ૨૦૦ માણસ જમે એટલો બગાડ થાય છે. વધારારૂપે યા એઠવાડરૂપે જાય છે. લોકો ભુખના કારણે અનાચારી, ચોર, ગુંડા બને છે. આવા ભુખ્યાઓને એ અનાજ આપો તેથી તે ગુંડાગીરી બંધ થશે. પોલિસને ટેન્શન ઘટશે અને કુટુંબીઓ બદનામ થતા અટકશે. થાળી ધોઇને પીવાથી સંમૂર્છાિમ જીવોને અભયદાન મળે છે. આમ ઉભય કારણથી આયંબિલનો લાભ મળે. આવા આયંબિલથી આલોચનાના આયંબિલ વળે? ના..૧ બદામ ખાવાથી ૪ રોટલીની કેલરી મળે તો તમે બે બદામ ખાઇને આઠ રોટલી બચાવશો? ના....
તમારા પુત્રને ૨૪ વર્ષની કન્યાન મળેતો ૧૨-૧૨ વર્ષની બે કન્યાથી ચાલે ? ના..
હવે સમજી ગયા ને ?..