SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ કોઇ પણ વિશિષ્ટ ધાર્મિક અનુષ્ઠાનના પ્રારંભમાં સામાયિક લેવામાં આવે છે. આ રીતે પાપના આવવાના દ્વાર બંધ કરી જો અનુષ્ઠાન કરવામાં આવે તો તે શાંત ચિત્તે, શુભ ભાવે, શુદ્ધ અધ્યવસાયે થાય. કર્મનો બંધ મિથ્યાત્વ આદિ ૪(૫) યોગ થાય છે. તેમાં અવિરતિ અને કષાયને સામાયિક સાથે સંબંધ છે. સામાયિક વિનાનું જીવન સમય એટલે અવિરતિમય જીવન. આ જીવનમાં જીવ મોટા કે નાના ગમે તેવા પાપ કરે તો તેનો કર્મબંધ અવિરતિના કારણે થાય જ. જો એ જીવ સામાયિક વ્રતમાં હોય તો કષાયોથી પાછો થાય. તેથી કર્મબંધથી થોડા ઘણા અંશે બચી શકે છે. - કષાયની અંદર અપ્રત્યાખ્યાન કષાયોનો જો ઉદય હો તો તે આત્મા વિરતિ ધર્મનો અનુરાગ ન કરે. વિરતિને ન સ્વીકારે તો દેવ કે મનુષ્ય ગતિને પણ ન પામે. તેથી જ્યારે આત્મા સામાયિકની પ્રતિજ્ઞા કરે છે ત્યારે પ્રતિજ્ઞા સૂત્ર દ્વારા પડિકમામિ, નિંદામિ, ગરિયામિ, અખાણ વોસિરામિ ચાર પ્રકારે (પાપથી પાછો હઠું છું, આત્મા સાક્ષીએ નિંદું છું. ગુરુની સાક્ષીએ ગૃહા કરું અને પાપ કરતી મારી કાયાને આત્માથી અલગ કરું છું. અર્થાત્ સ્વ સ્વભાવમાં સ્થિર થાઉં છું. સંકલ્પ કરી સમતા રસમાં સ્થિર થાય છે. ચાલો, આપણે પણ એ સમતા રસનો અનુભવ કરીએ. આ ચારે વ્રતોનું આત્મા પાલન કરવાનો પ્રારંભ કરે છે. ત્યારે હકિકતમાં પૂર્વના પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રતના પડછાયા તેની સાધના કાળ દરમ્યાન દેખાય વિના ન રહે. પાપવ્યાપાર બંધ કરવા અથવા પાપમય જીવનને સુધારવા પહેલું પગથિયું જીવનમાં ઘણું આવશ્યક છે. એક અપેક્ષાએ આ વ્રતનો સ્વીકાર પણ થઇ ગયો હોય સાથે ભાવ દયા રૂપ સામાયિકની આરાધનામાં વધે છે. તે અપૂર્વ કાર્યસિદ્ધિ છે. તેથી આ શિક્ષાવ્રતને જીવનના વિકાસમાં આત્માને પરમાત્મા બનાવવામાં છેલ્લો મહત્ત્વનો ફાળો છે. સામાયિકના પાંચ અતિચારઃ (૧) મન દુષ્મણિધાન મનમાં ખરાબ વિચાર ચિંતવી મનને સારા વિચારોના બદલે ખરાબ વિચારોના માર્ગમાં રાખવું. (૨) વચનદુષ્પરિધાનઃ સાવદ્ય (પાપ બંધાવે તેવા) વચન બોલવા. (૩) કાયદુપ્રણિધાન : સામાયિકના કાળ દરમ્યાન ગમે તેમ બેસવું, ઉંઘવું, ભીંત વિગેરેનો ટેકો લેવો. (૪) અનવસ્થા દોષઃ સામાયિક જે સમયે લીધું છે. તે પછી ૪૮ મિનીટ પૂરી કર્યા વિના વહેલું સામાયિક પારવું.
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy