________________
પ્ર. ૧૧. આઠમા વ્રતના અતિચાર કેટલા છે? કયા કયા ? " ઉત્તર આઠમા વ્રતના અતિચાર પાંચ છે.
૧) કંદખે, ૨) કુકકુઇએ, ૩) મોહરિએ, ૪) સંજુત્તાહિગરણે,
૫) ઉપભોગ પરિભોગ અઇરેગે. પ્ર. ૧૨ વિકથા કરે તથા રાગના આવેશથી હાસ્યુમિલિત મઝાક કરે તો કયો અતિચાર
લાગે ? ઉત્તર કંદખે. પ્ર. ૧૩ અંગોપાંગ વગેરેથી કુચેષ્ટા કરે કયો અતિચાર લાગે? ઉત્તર કુÉઇએ. પ્ર. ૧૪. વધારે પડતું બોલે યા ઉટપટાંગ બોલે તો કયો દોષ લાગે? ઉત્તર મુહરિએ પ્ર. ૧૫. હિંસા થાય તેવા હથિયાર ભેગા કર્યા હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર સંજુત્તાહિગરણે. પ્ર. ૧૬. સંજયદત્તની જેમ રાઇફલ રાખે તો કયો દોષ? ઉત્તર સંજુત્તાહિગરણે. પ્ર. ૧૭. એક વારને વારંવાર ભોગવવાની વસ્તુમાં અતિઆસક્તિ રાખે તો કયો અતિચાર
ઉત્તર વિભાગ, પરિભોગ અઇરેગે. પ્ર. ૧૮. પાપનું ધમધોકાર કારખાનું કયું? ઉત્તર આઠમું વ્રત. પ્ર. ૧૯ કંદર્પાદિથી કયા કયા અનદંડ થાય? ઉત્તર કંદર્પ અને કૌત્કચ્યથી અવઝાણાચરિયે, પમાયાચરિયે અનર્થદંડ થાય છે. મોખર્યથી પાવકસ્મોએસ. સંજુત્તાહિગરણેથી હિંસપ્રયાણ અને પમાયાચરિય અનર્થદંડ થાય છે.
(
૭)