SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવત્તિ તેને દંડ કહે છે. પ્ર. ર અનર્થદંડ કોને કહે છે ? ઉત્તર જે કાર્ય સ્વયંના પરિવારના સગા સંબંધી મિત્રાદિના હિતમાં ન હોય, જેનું કોઇ પ્રયોજન ન હોય અને વ્યર્થમાં આત્મા પાપોથી દંડિત થાય છે. તેને અનર્થદંડ કહે છે. પ્ર. ૩ પ્રયોજન વિનાના પાપ કેટલા ? ઉત્તર પ્રયોજન વિનાના (નકામા) પાપ ચાર છે. ૧) અવજઝાણાચરિય, ૨) પમાયાચરિય, ૩) હિંસપ્રયાણ, ૪) પાવકસ્મોવએસ. પ્ર. ૪ અવજણાચરિયું કોને કહે છે? ઉત્તર ખોટું ચિંતન કરવું. બીજાના મરવાનો, નુકશાન કરવાનો, દુઃખી હોવાનું ચિંતન કરવું, આર્તધ્યાન યુક્ત સંકલ્પ વિકલ્પ કરવા માથું પીટવું. દા.ત. તંદૂલ મત્સ્ય. પ્ર. ૫ અપ્રાપ્ત ભોગની મનમાં લાલસા રાખે તો કયો અનર્થદંડ લાગે? ઉત્તર અવઝણાચરિયું. પ્ર. ૬ પમાયાચરિયા કોને કહે છે ? ઉત્તર વિવેક વિનાની પ્રવૃત્તિ કરવી. ઘી,તેલ, દૂધ, દહીંઆદિના પાત્ર, વાસણ ખુલ્લા રાખવા. પ્ર. ૭ હિંસપ્રયાણ કોને કહે છે? ઉત્તર બંદૂક, ચપ્સ, છરી, ભાલા, તલવાર, રીવોલ્વર આદિ હિંસા થાય તેવા શસ્ત્રો આપવા અને તત્સંબંધી સાહિત્ય અન્યને દેવું. પ્ર. ૮ પાવકસ્મોવએસ કોને કહે છે ? ઉત્તર પ્રયોજન કે જવાબદારી ન હોવા છતાં બીજાને પાપકાર્યની પ્રેરણા કરવી જેવી રીતે ફેક્ટરી ખોલવી, ગાડી ખરીદવી, મકાન બનાવવા, શાદી કરવાનું કહેવું વગેરે. પ્ર. ૯. પડોશીને શાક સુધારવા ચપુ તો કયો દોષ? ઉત્તર હિંસપ્રયાણ. પ્ર. ૧૦. “નથી લેવા નથી દેવા” બંગલો બનાવવાનું શું જાય છે. કહેવા? - ઉત્તર પાવક—ોવએસ.
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy