SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ચિંતનમાં ઉપયોગ – ‘ઉપયોગ’ જેનું લક્ષણ છે. તે સાધક, આત્માનું વારંવાર ચિંતન કરે. તે સિવાયના બધા પદાર્થ અને તેની સાથે સંબંધ અનર્થદંડ સુધી લઇ જનાર છે. એમ અંતરથી માને. (૨) કરણમાં ઉપયોગ – ચૈત્યવંદન, પ્રતિક્રમણાદિ ક્રિયા નિષ્પાપ બને. અનુષ્ઠાન મારે એકાગ્રતાથી ક૨વા જોઇએ. અનુપયોગાદિ સહિત જો આચરણ થઇ જાય તો તે માટે મિચ્છામિ દુક્કડં આપે પશ્ચાતાપ કરે. આમ સાવધ આચરણ છોડી નિરવધ આચરણ કરે. (૩) શયનમાં ઉપયોગ – મુનિઓને પોરસી ભણાવી સંથારો પૂંજીને પાથરે પછી હાથને ઓશિકું કરીને ડાબા પડખે આડા પડીને સૂવાનો પ્રયત્ન કરે. હાથ પગને સંકોચી રાખીને સૂવે. કદાચ શરીર હાથ પગ ખસેડવા હોય તો દ્રષ્ટિ પડિલેહણ અને રજોહરણથી ભૂમિ પૂંજી ખસેડે. કાયગુપ્તિ સાચવે. (૪) ગમનમાં ઉપયોગ – ગમણાગમણ કરતાં ‘યુગ’ પ્રમાણ (સાત હાથ) જમીન ઉપર દ્રષ્ટિ રાખી ચંચળતા વિગેરેથી રહિત બની પગલા ભરે. વિના કારણે ગમણાગમણ કરી અનુપયોગાદિ પાપને ન બાંધે. (૫) બોલવામાં ઉપયોગ – શાસ્ત્ર વચન વિધિના જ્ઞાતા બની સ્વ પરને હિતકારી, મધુર ભાષી બને. નિરવદ્ય વચન ઉચ્ચારે. બને તેટલું મૌન રહી વચનગુપ્તિ પાળે. ટૂંકમાં જેને શાંતિ, પ્રસન્નતા, સ્વભાવિક આનંદ કે આર્તધ્યાનાદિથી નિવૃત્તિ વિગેરે જોઇએ તે આત્માએ પરપંચાત, પરનિંદા જેવા દુષણો જીવનમાંથી ત્યજ્વા જોઇએ. ચાલો, હવે ચેતી જઇએ, અર્થદંડના પાપોથી સર્વથા મુક્ત બની જઇએ. કેટલાક પ્રશ્નોત્તર હે સર્વજ્ઞ સ્વામી ! અનંતકાળમાં ભવચક્રમાં ફસાઇ મેં કરી મોમઝા, તો મળી કર્મોની સજા, ભૂલી ગયો ઉપાસના ને સેવી વિષય વાસના, વિલાસે વિસાર્યો આત્મ વિકાસ. અનર્થ ભોગી પાપાત્મા બન્યો આજ તેનું પ્રતિક્રમણ કરી કર્મ બંધના કારણોથી મારા આત્માની રક્ષા કરવા સાવધાન બનું છું. પ્ર. ૧ દંડ કોને કહે છે ? ઉત્તર જેનાથી આત્મા તેમજ અન્ય પ્રાણી દંડિત થાય એવી મન વચન કાયાથી ક્લુષિત 838&&& ૧૪૫ ...aa
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy