SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ મસ્ત છે “રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો તેવી સ્થિતિ અત્યારે આ ધરતીની હોય તેવું લાગે છે. ખેર ! જવા દો એ હતાશાભરી વાતને ! યુવકો ! તમે જ સજ્જ થઇ જાઓ.જીવનના તમામ સત્ત્વને નિચોવીને સાફ કરી નાખતાં અનર્થદંડનાં સઘળાય પાપોને દઢસંલ્પપૂર્વક જીવનમાંથી દેશવટો દઇ દો ! તો ચોક્કસ વ્યર્થના માર્ગે ખરચાઈ રહેલી શક્તિનો બચાવ સાર્થકની પ્રાપ્તિ કરાવ્યા વિના રહેશે નહિ !.. વ્યર્થ હરવા ફરવામાં શારીરિક શક્તિઓ નષ્ટ થઇ રહી છે તો વ્યર્થ વિચારણામાં માનસિક શક્તિ હણાઇ રહી છે. અનર્થદંડમાં પાપો માત્ર તમારા જ જીવનમાં અર્નશો ફેલાવી દેશે તેવું નથી.અનેક નિર્દોષ જીવોના જીવનમાં ય અનર્થો ફેલાવી દેવાનું ગોઝારું પરિણામ તે અચૂક લાવી દેશે ! આ અનર્થદંડના કુલ ૪ પ્રકાર છે ૧. આર્તરોદ્ર ધ્યાન ૨. પાપોપદેશ ૩. અધિકરણ દાન ૪. પ્રમાદાચરણ. ઇષ્ટના સંયોગની અને અનિષ્ટના વિયોગની સતત ચાલતી વિચારણા જીવને દુર્ગાનમાં ઢસડી જાય છે. ક્યારેક તો બહુ મામૂલી બાબત પણ ભયંકર પરિણામ લાવી દે છે. વરસો પહેલાં મુંબઇની ચાલીમાં રહેતા એક ભાઇની પત્ની પિયર ગઈ. ભાઈ એકલા પડ્યા. રાતના ખાટલા પર સૂતા. પરંતુ માંકડનો ઉપદ્રવ ખૂબ હોવાના કારણે આખી રાત ઊંઘ ન આવી. બીજે દિવસે રાતના પણ એજ હાલત થતાં ૧૨ વાગ્યે ઊઠ્યા. લાઇટર સળગાવીને ભીંત પર ફરી રહેલા માંકડોને મારવા લાગ્યા. બાજુવાળા ભાઇ એજ વખતે બહારથી આવ્યા. તેમણે આ દશ્ય જોતાં જ બૂમ પાડી.. “અરે ! આ શું કરો છો ?' શું કરો છો, શું? આ બધા એજ લાગના છે.આખી રાત ઊંઘવા દેતા નથી.આજ તો એકને જીવતો નહિ છોડું...આ બધાયને મારીશ !.” આમ કહીને વળી પાછા તે ભાઇ માંકડ મારવાની પ્રવૃત્તિમાં લાગી ગયા ! બે કલાક સુધી વીણી વીણીને માંકડોને માર્યા...પછી સૂતા...સવારના પાંચ વાગે ઊઠ્યા. આ પીવા માટે પ્રાયમસ સળગાવવા બેઠા.પ્રાયમસ સળગાવ્યો પણ ખરો પરંતુ તેને તેજ કરવા માટે જ્યાં પંપ લગાવવા ગયા ત્યાં એકાએક જોરદાર ભડકો થયો...ભાઇનું આખું મોટું સળગી ગયું ! રાડારાડ ને ચીસાચીસ પાડવા લાગ્યા..આજુબાજુવાળા આવી ગયા..સમયસર હોસ્પિટલમાં દાખલ કર્યા. તાત્કાલિક મળી ગયેલા ઉપચારોથી બચી તો ગયા પરંતુ મોટું કાયમ માટે વિકૃત બની ગયું! પોતાની ઊંઘ સાચવવા ખાતર નિર્દોષ જીવોને મોતને ઘાટ ઉતારી દેનાર આ
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy