________________
હે ક્યોંકિ આપકા નિંદત્યાગ કઈ આદમિયોં કા જીવનત્યાગ કરી દેતા હૈ ” જ્યોતિષીએ હિંમતથી જવાબ આપ્યો.
આપણા માટે આવું કાંઇ ન બને તે ખૂબ જરૂરી છે..
પાપીઓ ઊંઘતા સારા અને ધર્મીઓ જાગતા સારા આ શાસ્ત્રવચન નજર સામે રાખી માત્ર ખુલ્લી આંખે જ જાગતા નહિ પરંતુ મોહની નિંદ્રાના ત્યાગવાળી જાગૃતિ આપણા જીવનમાં આવે તો માટેના અનેક પ્રયત્નોમાં સૌથી વધુ સફળતા મળે છે “અનર્થદંડ' ના પાપોથી સર્વથા અટકી જવામાં..આ અનર્થદંડનું સેવન જીવનમાં કેવા અનર્થો સર્જા જાય છે તેની વિશેષ વાત હવે જોઇએ.
અનર્થદંડના પાપમાં મુખ્ય વાત એ છે કે તેમાં એકલી બહિર્મુખવૃત્તિ જ પોસાય છે. ચોવીસે ય કલાક વિચારણા બહિંભાવોની જ ચાલે છે. આત્મા ક્યાંય યાદ આવતો નથી. આનાં નુકશાન કેટલાં ? જે ભવમાં “આત્મા' સિવાયના બીજા કોઇ પદાર્થની ચિંતા જ કરવાની નથી તે ભવમાં “આત્મા” ની જ વિચારણા ન થાય એ કેટલું દયનીય ? શાસ્ત્રકારો કહે છે કે,
ઉત્તમાડહત્મચિંતા સ્યાતુ, વિષયચિંતા તુ મધ્યમાં
અધમાત્વર્થચિંતા સ્માત, પરચિંતાડધમાધમા ! આત્માની ચિંતા તે ઉત્તમ પ્રકારની ચિંતા, કામ ભોગોની ચિંતા એ મધ્યમ પ્રકારની ચિતા, અર્થ (પૈસા) ની ચિંતા અધમ પ્રકારની ચિંતા, પરંતુ પારકાની ચિંતા એ અધમાધમ પ્રકારની ચિંતા છે
અનર્થદંડના વિષયો વિચારવા એ અધમાધમ પ્રકારની ચિંતામાં જાય છે. કારણ કે તેમાં આત્મા જ ભુલાય છે તેવું નથી, માર્ગાનુસારીના ગુણોના પાલનમાં પણ દેવાળું નીકળે છે.
આટલાં બધાં ભયંકર નુકશાનો જેને નજરોનજર દેખાય જાય તે સ્વાભાવિક રીતે જ અનર્થદંડનાં પાપોથી અટકી જાય.
વરસો પહેલાં જામનગરમાં એક પ્રસંગ બની ગયો. એક ભાઇનું સ્કુટર કોઇ ઉઠાવી ગયું. તે ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. બે ત્રણ દિવસ થયા પણ કાંઇ પત્તો ખાધો નહિ. ચોથે દિવસે સવારના અચાનક નજર પડી તો બારણા પાસે સ્કુટર પડેલું જોયું ! આશ્ચર્ય થઇ ગયું ! આ શું ? નજીક જઇને જોયું તો વધુ આશ્ચર્ય થયું. કારણ સ્કુટરના હેંડલ પર એક રંગબેરંગી થેલી લટકતી હતી ! થેલી કાઢી અંદર હાથ નાખ્યો તો તેમાંથી એક ચિઠી નીકળી. તેમાં લખેલું કે “એકાએક ખૂબ જ અગત્યનું કામ આવી જવાથી તમને પૂછ્યા વિના હું તમારું સ્કુટર લઇ ગયેલો, કામ પતી જવાથી પેટ્રોલ