________________
પ્ર. ૧૫ માદી રીતે પકવેલી વસ્તુનો ઉપયોગ કર્યો હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર દુપોલિસહિભદ્માયાનો અતિચાર લાગે. દા.ત. ઓળી વગેરે. પ્ર. ૧૬ તુચ્છ આહારનો ઉપયોગ કર્યો હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર તુચ્છો સહિભક્ષ્મણયાનો અતિચાર લાગે. જેમાં ખાવાનું થોડું છે ને ફેંકવાનું વધું છે. પ્ર. ૧૭ શેરડી સીતાફળ ખાય તે અતિચાર શેમાં જાય ? ઉત્તર ભોજન અતિચારમાં = તુચ્છોસહિભક્ષ્મણયા. પ્ર. ૧૮ વ્યાપાર સંબંધી અતિચાર કેટલા ? તેને શું કહે છે? ઉત્તર વ્યાપાર સંબંધી અતિચાર ૧૫ છે. જેમાંથી હિંસાની પ્રેરણા મળે યા કર્મના
• હેતુઓ હોવાથી તેને કર્માદાન કહે છે. પ્ર. ૧૦ કર્માદાનના અતિચારમાં કર્મ' ના અતિચાર કેટલા? ઉત્તર ૧) ઇંગાલકમે, ૨) વણકમે, ૩) સાડીકમે, ૪) ભાડીકમે,
૫) ફોડીકમે, ૬) જતપિલણકમે, ૭) નિલૂંછણકમે આ સાત કર્મના અતિચાર
પ્ર. ૨૦ કર્માદાનના અતિચારમાં વ્યાપાર' ના અતિચાર કેટલા ? ઉત્તર ૧) દંતવાણિજે, ૨) લમ્બવાણિજ્જ, ૩) કેસવાણિજે, ૪) રસવાણિજે,
૫) વિસવાણિજે આ પાંચ વ્યાપારના અતિચાર છે. પ્ર. ૨૧ કર્માદાનના અતિચારમાં મંત્રાદિ પાપના અતિચાર કેટલા? ઉત્તર ૧) દવગ્નિદાવણિયા, ૨) સરદહ તલાવ પરિસોસણયા, ૩) અસહ જણ
પોસણયા આ ત્રણ યંત્રાદિ પાપના અતિચાર છે. પ્ર. ૨૨ પંદર કર્માદાનમાં કેવા કેવા કર્મોથી અતિચાર લાગે છે? ઉત્તર ૧) ઈગાલકમે = લુહાર, ભાડભુંજા વગેરે જેમાં અગ્નિનો આરંભ કરવો પડે
તેવાં કાર્યો કરવા. ૨) વણકમે = વન્નાં ઝાડો કાપવાના કાર્યો કરવા. ૩) સાડીકમેકગાડું રથ, જહાજ, મોટર આદિ બનાવી વેચવાના કાર્યો કરવા. ૪) ભાડીકમેગાડાં, ઘોડાં, મકાન, રીક્ષા, ટેક્સી વગેરે રાખી ભાડાં ખાધા હોય. ૫) ફોડીકમે= કુવા, વાવ, તળાવ આદિ ખોદવાના તથા પૃથ્વીના પેટ ફોડવાના ધંધા કર્યા હોય.