SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯) સચિત્તવિહિં, ૨૦) દશ્વવિહિં. પ્ર. ૮ પરિભોગ વિહિં કેટલી છે? કઇ કઇ ? ઉત્તર છ (૬). ૧) ઉલ્લણયાવિહિ, ૨) વFવિહિં, ૩) આભરણવિહિં, ૪) વાહણવિહિં, ૫) ઉવાહણવિહિં, ૬) સયણવિહિં. પ્ર. ૯. ઉવભોગ પરિભોગની મર્યાદાથી શું લાભ થાય છે ? ઉત્તર ૧) સંકલ્પ, વિકલ્પથી મુક્તિ મળે છે. ૨) જરૂરિયાતો ઘટે છે. ૩) જીવન ત્યાગ સંતોષમય બને. ૪) ધર્માચરણ માટે વધુ સમય મળે. મર્યાદિત ભૂમિમાં ઉપભોગ પરિભોગની વસ્તુઓનો સંપૂર્ણ ને મર્યાદિત ભૂમિમાં બહુ ચીજોના ત્યાગથી આશ્રવ રોકાય છે. પ્ર. ૧૦ સચિત્ત ત્યાગી શ્રાવકને મર્યાદા ઉપરાંત સચેત વસ્તુનો ઉપયોગ થયો હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર સચિત્તાહારનો અતિચાર લાગે. પ્ર. ૧૧ સચિત્તના ત્યાગથી શું લાભ ? ઉત્તર ૧) સ્વાદ પર વિજય થાય. ૨) જ્યાં અચિત્ત વસ્તુ ખાવાની સુવિધા ન હોય ત્યાં સંતોષ. ૩) જેને પકાવીને નથી ખવાતું એવા સચિત્ત તરબૂચ આદિનો ત્યાગ. ૪) પર્વ તિથિઓમાં ઘેર આરંભ ન થાય. ૫) જીવો પ્રતિ વિશેષ અનુકંપાનું લક્ષ વગેરે. પ્ર. ૧૨ સચેત સાથે લાગેલ અચેત વસ્તુનો ઉપયોગ થયો હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર સચિત્તપડિબદ્ધાહારનો અતિચાર લાગે. દા.ત. સચિત્ત વૃક્ષ સાથે લાગેલ અચિત્ત ગુંદબીજ સહિત ફળ વગેરે. પ્ર. ૧૩ કાચી પાકી વસ્તુનો ઉપયોગ કર્યો હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર પૂરી અચેર ન થઇ હોય તેવી વસ્તુ ખાવાથી અપ્પોલિસહિભખ્ખણયાનો અતિચાર લાગે. પ્ર. ૧૪ સલાડ ખાવાથી કયો અતિચાર લાગે? ઉત્તર અપ્પોલિયોસહિભષ્મણયાનો અતિચાર લાગે.
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy