SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ બોલતા તો ખેડુતની આંખમાં આંસુ આવી ગયા. વરસોથી આ ધંધો લઇને બેઠેલા ખેડુતના મનમાં ય જીવદયાના કેવા સુસંસ્કારો બેઠા હશે કે ભારે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેના મોઢામાંથી આવા શબ્દો નીકળ્યા ! આપણી મૂળ વાત એ છે કે કર્માદાનના ધંધાઓ તીવ્ર આરંભ સમારંભ પૂર્વકના છે. આરંભ સમારંભ એ નરકગતિનાં કારણ છે માટે આત્માને દુર્ગતિઓમાં રઝળપાટ કરાવતા આ ધંધાઓને નવ ગજના નમસ્કાર કરીદો. કદાચ એવો કોઇ ધંધો પકડાઈ જ ગયો હોય હોય તો ય અનુકૂળતા હોય તો તે ધંધાને છોડી દો...ન જ છોડી શકો તો એ ધંધામાં શક્ય જીવદયાના પરિણામો ટકાવીને એ સિવાયના બાકીના સઘળા ય ધંધાઓનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી દો! આ રહ્યા છે ત્યાજ્ય ૧૫ કર્માદાનના ધંધા) ૧. અંગાર કર્મચૂનો, ઇંટ, કોલસા, ભસ્મો, મિઠાઇ વગેરે જે ભઠ્ઠીથી બનાવાતા હોય તે બનાવવાના તથા બનાવરાવી વેચવાનો વેપાર...હોટલ-લોજ, કુંભાર, લુહાર, ભાડભુજાદિના ધંધા..૨. વન કર્મ પાન, ફળ, ફૂલ, શાકભાજી, ઘાસ, લાકડાં ખેતી, બાગ, વાડી વગેરેના ધંધા.. ૩. શટક કર્મ ગાડાં, હળ, ગાડી, મોટર વગેરે વાહન વ્યા તેનાં સાધન બનાવવાનો અથવા વેચવાનો ધંધો....૪.ભાટક કર્મ વાહનો ભાડે ફેરવવાનો યા જમીન મકાન આદિ ભાડે આપવાનો ધંધો ૫. સ્ફોટક કર્મ ધાતુ પથ્થર આદિ ખોદાવવાનો કે સુરંગ, કૂવા, વાવ બોરીંગ આદિ કરી આપવવાનો ધંધો.૬.દંત વાણિજ્ય હાથી દાંત, મોતી, ચામર, રેશમ વગેરેનો વેપાર. ૭. લમ્બ વાણિજ્ય સાબુ, ગુંદર, ખાર ગળી, વગેરેનો ધંધો. ૮. રસ માંસ, મદિરાદિ, ગોળ, ઘી, તેલ, વગેરેનો વેપાર. ૯. કેશ પશુ પંખીના વાળ, પીંછા, ઉન, વગેરેનો ધંધો. ૧૦. વિષ અફીણ, ઝેર, નશાવાળી વસ્તુ, ઝેરી દવાઓ, શસ્ત્રો, વીજળી, દીવાસળી, ગર્ભપાત આદિનાં સાધન ઔષધ વગેરેનો વેપાર. ૧૧. યંત્ર પલણ મીલ, જીન, યાંત્રિક કારખાનું, યંત્રો, ધાણી યંત્રો બનાવવા વેચવાનો ધંધો. ૧૨.નિલંછન પશુને ખસી કરવાનો, ડામ દેવાનો, આંકવાનો, અંગચ્છેદ કાપવાનો વેપાર. ૧૩. દવદાન વન બાળવા ઉખેડવાનો ધંધો. ૧૪. શોષણ કૂવા તળાવ સુકાવવા, પુરાવવાં, ખાલી કરાવવાં વગેરેનો ધંધો. ૧૫. અસતી પોષણ વેપાર અર્થે કે સરકસાદિ રમત અર્થે પશુ પંખી પાળવાનો ધંધો, વાધરી, વેશ્યા, ચોર, કસાઇ, પારધી વગેરેને પોષવાનો ધંધો. આ પંદરેય કર્માદાનના ધંધાઓનો ત્યાગ કરી આત્મામાં જીવદયાના ખૂબ સુંદર પરિણામો ઉત્પન્ન કરી દો...! સાથે સાથે ભોગ અને ઉપભોગમાં આવતા ભક્ષ્ય ભોજન વિગઇ, મકાન, વાહન વિલેપન આદિમાં પણ યથાશક્ય નિયંત્રણ લાવતા રહો...તો
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy