________________
થયો છે....દુર્ગતિઓને છેદી નાખવાની પ્રચંડ તાકાત ધરાવતા ધર્માનુષ્ઠાનો સ્વજીવનમાં આચરી શકીએ તેવું સ્વસ્થ શરીર આપણને મળ્યું છે.અનેક આત્માઓના જીવનને સન્માર્ગે લાવવાની તાકાત ધરાવતી બૌદ્ધિક સંપત્તિ પણ આપણને મળી છે...હવે આટઆટલી દુર્લભ ચીજોની સુલભતા થયા પછી એ પ્રાપ્તિના પુણ્યને નિષ્ફળ જવા દેવાની બાલિશ ચેષ્ટા આપણાથી થાય?
દિલ્હીપતિ બાદશાહ હુમાયુએ દુશ્મન રાજા પર ચઢાઈ કરીને તેને હરાવ્યો...એ રાજાના ૯૦૦૦ સૈનિકોને કેદી બનાવ્યા..સઘળા ય કેદીઓને પરદેશ જઇને વેચી દેવાનો તેણે નિર્ણય કર્યો. પોતાના એક અતિવિશ્વાસુ માણસને આ કેદીઓ પરદેશમાં લઇ જવા માટે હુમાયુએ સોંપ્યા....
પેલો માણસ તો કેદીઓને લઇને ચાલ્યો. રસ્તામાં કેદીઓને તરસ લાગે તો પાણી ન આપેભૂખ લાગે તો ખાવા ન આપે...ન ચાલે તો પીઠ પર કોરડો વીંઝે..ઉપાડી ન શકાય તેટલો ભાર પીઠ પર નાખ્યો..આંખમાં આંસુઓ સાથે લથડિયાં ખાતાં ખાતાં કેદી ચાલતા હતા.
એક દિવસ એક ગામમાં પડાવ નાખ્યો. એ ગામનો મંત્રી જેન આગેવાન ભેરુશા ૯૦૦૦ કેદીઓ જે છાવણીમાં હતા ત્યાં આવ્યો. હુમાયુના માણસને મળ્યો.ખબર પડી ગઇ તેને કે આ બિચારા કેદીઓ પરદેશમાં કૂતરાના મોતે મરશે ! ના..ના.પ્રાણનાં ભોગે પણ આ સહુને બચાવવા જ જોઇએ !
તરત જ કેદીને સાચવનાર માણસને ભેશા મળ્યો ! તું ત્રણ દિવસ ધીરજ ધરી જા... હું આવું પછી તારે અહીંથી રવાના થવું. તે પહેલાં નહિ
આટલી કબુલાત લઇને મારતે ઘોડે તે દિલ્હી પહોંચ્યો...કુરનીશ બજાવી હુમાયુના ચરણમાં કિંમતી ઝવેરાતનો થાળ મૂક્યો !
હુમાયુ તો આ વિનય જોઇને જ ખુશ થઇ ગયો “માંગ માંગ, માંગે તે આપી દઉં... હુમાયુ બોલ્યો.
રાજનુંઆ કોરા કાગળ પર આપ સહી કરી આપો- અને આપ વિશ્વાસ રાખો કે તેનો ઉપયોગ આપનું ગૌરવ વધારવામાં જ થશે !”
હુમાયુએ સહી કરી આપી.ભેરુશા એ કાગળ લઇને તુર્ત પાછો પોતાના ગામે આવી ગયો...સઘળાય કેદીઓને તાત્કાલિક છોડી દો.“એવું વાક્ય હુમાયુની સહીના ઉપરના ભાગમાં લખી દીધું...
હુમાયુના માણસ પાસે એકાગળ બતાવી સઘળાય કેદીઓને છોડાવી દીધા....અને પાછો તુર્ત જ હુમાયુ પાસે હાજર થઇ ગયો.