________________
અનેક પ્રકારના ઉપાયો બતાવ્યો છે...તેમાંનો એક મજેનો ઉપાય છે કર્માદાનના ધંધાના ત્યાગનો.
એક વાત સમજી રાખો કે ધનના સંગ્રહનો મોહ એ ધનના ઉપભોગ માટેનો મોહ નથી પરંતુ સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ઊભી થાય..પાંચ માણસોમાં પોતાનો ભાવ પૂછાય એ માટેનો મોહ છે...પોતાની જાતને શક્તિશાળી સિદ્ધ કરવાના અનેક રસ્તાઓમાં એક રસ્તો છે ધનસંગ્રહનો !
આબુમાં Sun set point પર સૂર્યાસ્તના સમયે પોતાના નાના પુત્રને લઇને ફરવા ગયેલા બાપ પુત્રને કહ્યું, “તને ખબર છે, સૂર્યને દરિયામાં ડુબાડી દેવાની મારી તાકાત છે !'
પિતાજી ! તે ડુબાડી દો ને !'
જો.. એમ કહીને સૂર્ય સામે આંગળી કરી, 'Go down...Go down...Go down.. એમ ત્રણ વાર બૂમ મારી...
બેજ મિનિટમાં સૂર્યાસ્ત થઇ ગયો...!
છોકરો તો બાપની આ તાકાત જોઇને સ્તબ્ધ જ થઇ ગયો ! તેને ફરીવાર આ પ્રયોગ જોવાનું મન થયું બાપને તેણે કહ્યું, "Father! Do it again'
બાપ પણ કાંઇ કાંચો નહોતો...તરત જ તેણે દીકારને જવાબ આપ્યો, It cannot be twice in a day' દીકરો શું બોલે?
- સંસારની સળઘી ય શક્તિઓ આવી જ છે. મહાન વિજેતાઓ પણ છેવટે પરાજિત સિદ્ધ થયા છે..શક્તિશાળીઓ અંતે કમજોર સિદ્ધ થયા છે.
આ હકીકત જેના ખ્યાલમાં આવી જાય તેનો જીવનમાં ધન સંગ્રહ ની ઘેલછા ખલાસ થયા વિના રહે નહિ.પછી સંસાર ચલાવવા માટે જ ધનની જરૂરિયાત રહે તે ધન ક્યાંથી લાવવું તેની વિચારણા શરૂ થાય..
ભૂલશો નહિ, સંસાર ચલાવવા માટે ધન માત્ર સાધન જ છે...જેમ ઘરમાં કચરો કાઢવા માટે ઝાડુ રાખવું પડે છે. તેમ સંસાર ચલાવવા માટે ધન રાખવું પડે છે.. ઘરને સ્વચ્છ રાખવામાં ઝાડુ ગમે તેટલું ઉપયોગી હોય તો ય તેને કાંઇ માંથે રાખીને ફરાય નહિ, તેમ સંસાર ચલાવવા માટે ધન ગમે તેટલું ઉપયોગી હોય તો ય તેને અન્ય જીવોના મોતના ભોગે તો ઘરમાં લવાય જ નહિ ! અનંતકાળે આત્માની કોમળતાની પરિણતિ જળવાઇ રહે તેવા સુંદર ભવની આપણને પ્રાપ્તિ થઇ છે. તેમાં ય સર્વ જીવોને અભયદાન આપનાર જૈનશાસનના મર્મોને સરળતાપૂર્વક સમજાવતા સદ્ગુરુઓનો આપણને સુયોગ