________________
ભિોગ ઉપભોગના પરિમાણ સંબંધી વિશેષ સુચના]
(૨)
(૩)
(૬)
આંબલી
આ વ્રતની સાથે જેમ કહ્યાનુસાર ખાસ દેસાવગાસિક (૧૪ નિયમો) નિયમો રોજના માટે સ્વીકારવાની ભાવના કેળવવાની હોય છે. તેજ રીતે થોડા નિયમો નીચે મુજબના લઇ શકાય છે. (૧) હોટેલ કે બજારમાં વેચાતી વસ્તુ(પ્રવાહીદ્રવ્યની જયણા) વાપરવી નહીં (અથવા
૧/૨ દુકાનમાંથી જ લેવી.) વ્યસન જેને કહેવાય તેવા બીડી, સીગારેટ, તમાકુ, માવો, હેરોઇન, ચરસ વિગેરે સદંતર ન લેવી. ત્યાગ.
મહિનામાં પાંચ, દશ તિથિએ લીલોતરી સચિત્ત વસ્તુનો ત્યાગ. (૪) મુખવાસ નો સદંતર ત્યાગ. (અથવા ૧/૨ વસ્તુની જયણા) (૫) લીલા પાન, પાનપરાગ, મસાલા, સોપારી, તમાકુ વિગેરેનો ત્યાગ.
આંબલી, કચુકા, કાળી માટી વિગેરેનો ત્યાગ. (૭) ઠંડા પાણી - જેમાં પાણી પણ અળગણ હોય તે થમ્સ અપ, કોકા કોલા, ફેન્ટા
આદિ બધાનો ત્યાગ. (૮) આઇસ્ક્રીમ, બરફ, કુલ્ફી, ઠંડુશ્રીખંડ, વિગેરેનો ત્યાગ. (૯) બ્રેડ, બિસ્કીટ, પાવભાજી જેવા અનેકાનેક પદાર્થ જે અભક્ષ છે. તે વાપરવા નહીં
માટે ત્યાગ કરવા.
ટૂંકમાં જે દ્રવ્યના નિર્માણમાં જીવોની વિરાધના છે. જે દ્રવ્ય અભક્ષ્ય શાસ્ત્રીય દ્રષ્ટિએ છે. જે દ્રવ્યને વાપરવાથી બુદ્ધિ, ભાવનાથી શરીર દુષિત થાય છે. રોગી થાય છે. તેવા દ્રવ્ય ન ખાવાથી આ જીવનું કાંઈ જ બગડતું નથી. આરોગવાથી જ અનેક રીતે નુકસાન છે. માટે ત્યાજ્ય છે.
સાતમા ભોગપભોગવિરમણ વ્રતના વિષયમાં હવે આપણે ૧૫ કર્માદાનના ધંધાના ત્યાગની વાત કરીએ...
કર્માદાનનો અર્થ છે જેના દ્વારા કર્મોનું ભારે આદાન અર્થાત્ ગ્રહણ થાય તે કર્માદાન આવા કર્માદાનના ધંધાઓ તીવ્ર આરંભ સમારંભવાળા હોવાની સાથે જીવો પ્રત્યેની કોમળતાની પરિણતિને ખલાસ કરી નાખનાર હોય છે.માટે તે ત્યાજ્ય છે..
મૂળ વાત તો એ છે કે અણમોલ જિનશાસન સાથેના મળી ગયેલા આ માનવજીવનની સફળતા સર્વવિરતિજીવનના સ્વીકારમાં છે. કદાચ શક્તિ અને સામર્થ્યના અભાવે એ જીવનનો સ્વીકાર ન થઇ શકે અને ઘરસંસાર ચલાવવો પડે તો ય ગૃહજીવનમાં આત્મામાં દયાના પરિણામો સતત જાગ્રત રહે તેની પૂરેપૂરી તકેદારી રાખવા જ્ઞાનીઓએ