________________
૯. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા અરિહંત પરમાત્માના વચન ઉપર અશ્રદ્ધા રાખવાથી. ૧૦. અપ્રત્યાખ્યાનિકી ક્રિયા વ્રત પચ્ચખ્ખાણ ન કરવાથી (અનાદર કરવો.) ૧૧. દષ્ટિકી ક્રિયા: ગમતા અણગમતા પદાર્થો પર રાગ દ્વેષવાળી દ્રષ્ટિ કરવાથી. ૧૨. સૃષ્ટિની ક્રિયા : રાગભાવથી બાળક, પશુ વિગેરે જડ ચેતન પદાર્થને સ્પર્શ
(આલિંગન પંપાળવા) કરવાથી. ૧૩. પ્રાતિત્યની ક્રિયા બીજાની રિદ્ધિ સિદ્ધિ જોઇ મનમાં રાગ દ્વેષ કરવાથી ૧૪. સામંતો પરિપાતિકી ક્રિયા : પોતાની રિદ્ધિ સિદ્ધિ જોવા આવેલ લોકો પાસેથી
પ્રશંસા સાંભળી રાજી થવાથી, તથા ઘી, તેલ વિગેરેના પાત્ર ઉઘાડા રાખતાં, તેમાં
ત્રસ જીવોના આવાગમનથી અથવા નાટક, સિનેમા, નટના ખેલ આદિ દેખવાથી. ૧૫. નેશસ્ત્રિકી ક્રિયા: રાજા વિગેરેની આજ્ઞાથી બીજા પાસે શસ્ત્ર વિગેરે કરાવવાથી. ૧૬. સ્વાહસ્તિકી ક્રિયા : આપઘાત કરવાથી કે બીજાને હાથ કે અન્ય સાધન દ્વારા
મારવાથી,
૧૭. આશાપનિકી ક્રિયા આજ્ઞા કરી પાપવ્યાપારાદિ કાર્યો કરાવવાથી. ૧૮. વેદારણિકી ક્રિયા: જીવ કે અજીવ વસ્તુ (ફોટો મૂર્તિ)ને ફાડવા ભાંગવાથી કે કોઇ
ઉપર કલંક લગાડવાથી, અપશબ્દ બોલવાથી. ૧૯. અનાભોગિકી ક્રિયા: ઉપયોગ રહિત શૂન્ય ચિત્તે ક્રિયા કાર્ય કરવાથી. ૨૦. અનવકાંક્ષપ્રત્યયિકી ક્રિયાઃ સ્વપરના હિતનો વિચાર કર્યા વિના આલોકપરલોક
વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાથી ૨૧. પ્રાયોગિકી ક્રિયા મન, વચન, કાયાના અશુભ વ્યાપારો દ્વારા થતી ક્રિયા. ૨૨. સામુદાનિકી ક્રિયા: સમૂહમાં મળીને (ટી.વી. અથવા મનોરંજનાદિ સ્થળે) મન,
વચનાદિથી હિંસાદિ કરવાથી ૨૩. પ્રેમિકી ક્રિયા પ્રેમ (રાગ) કરવાથી યા તેવા મધુર વચનો બોલવાથી. ૨૪. સૈષિકી ક્રિયા દ્વેષ (ક્રોધ) કરવાથી યા બીજાને દ્વેષ ઉત્પન્ન થાય તેવા કટુવચન
અથવા તેવી પ્રવૃત્તિ કરવાથી. ૨૫. ઇર્યાપથિકી ક્રિયા: માર્ગમાં ગમનાગમન કરવા માત્રથ અર્થાત્ માત્ર યોગના
નિમિત્તવાલી ક્રિયા. (ઇરિયાવહિયં સૂત્રમાં આ ક્રિયાથી થયેલ પાપ અંગેની વિગત અને ક્ષમા માંગવામાં આવી છે.)