________________
૧૫ દિવસ ઉપરાંતની મિઠાઇ, કાર્તિક ચોમાસાથી ૩૦ દિવસ ઉપરાંતની મિઠાઇ, આ અભક્ષ્યોનો ત્યાગ.
- ૩૨ અનંતકાય - બટાટા, લસણ, કાંદા, સક્કરિયાં, આદુ, લીલી હળદર, ગાજર, કુણી આંબલી, મૂળા, રતાળું, નવા અંકુર, ગળો, લીલો કચરો, શતાવરી, હીરલીકંદ, કુંવારપાઠા, થોર, વંશ કારેલા, લુણી, લોઠી, ગિરિકર્ણિક, કુમળાં પાન, ખરસૈયો, થેગની ભાજી, લીલીમોથ, લોણ વૃક્ષની છાલ, ખીલૂડો, અમૃતવેલી, ભૂમિફોડા, વત્થલાની ભાજી, સુયર વલ્લી, પલંકાની ભાજી, પિડાલું આ અનંતકાયનો ત્યાગ.
પુણ્યના ઉદયથી મળેલા ભોગ ઉપભોગના સાધનોને કર્મ ખપાવવા માટે ઓછામાં ઓછા ભોગવીશ. વાપરીશ. ત્યાગ કરીશ એ સતત વિચારવું.
નવતત્ત્વ પ્રકરણમાં આશ્રય તત્ત્વના ૪૨ ભેદ કહ્યાં છે. આશ્રવ એટલે જેના દ્વારા કર્મોનું આગમન થાય છે. આ ભેદોમાં ઇન્દ્રિય-૫, કષાય-૪, યોગ-૩, અને ક્રિયા૨૫ જોઇ લઇએ.
આ ક્રિયા વિભાગમાં ૧૫ કર્માદાનની - ૧૮ પાપસ્થાનકની ચર્ચા છે. આ જીવ પૂર્વાપાર્જીત કર્મ અનુસાર અજ્ઞાનતાને વશ થઇ નાના પ્રકારની પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિ હકિકતમાં આરંભ સમારંભ વધુ અને નફો ઓછો થાય છે. તેથી આરાધક જીવે નીચેની ૨૫ ક્રિયાઓને જાણી સજી લેવી જરૂરી છે. ર૫. ક્રિયાની સંક્ષિપ્ત વ્યાખ્યા : ૧. કાયિકી ક્રિયા: જયણા, ઉપયોગ કે પ્રમાર્જન કર્યા વિના કાયા દ્વારા થતી પ્રવૃત્તિ.
(બાળકો બગીચામાં વનસ્પતિ ઉપર રમે વિગેરે.) ૨. અધિકરણિકીરિયા: જીવ વિનાસક નવા શસ્ત્રોને બનાવવા અથવા જૂના શસ્ત્રોને
સુધારવા જોડવાની પ્રવૃત્તિ. ૩. પ્રાàષિકી ક્રિયા: જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવો. મારવું, તોડવું, બાંધવું. ૪. પારિતાપનિકી ક્રિયા પોતાને અથવા બીજાને પરિતાપ દુઃખ થાય તેમ કરવું. ૫. પ્રાણાતિપાતિકી કિયા કોઇ પણ નાના મોટા જીવની હિંસા કરવી. ૬. આરંભિકી ક્રિયાઃ પૃથ્વિકાયાદિ છ પ્રકારના જીવોની હિંસા કરવા, આરંભ સમારંભ
કરવો.
૭. પારિગ્રહિકી ક્રિયા પશુ, ધન ધાન્યાદિના સંગ્રહ (મારાપણાના ભાવ) સંબંધી. ૮. માયાપ્રત્યયિકી ફિયા: માયા, છળકપટ દ્વારા બીજાને છેતરવું.