________________
કઠોરતામાં પણ પરિણામ પામે તેવી પૂરેપૂરી શક્યતા છે !
ઇન્ટરવ્યુ આપવા ગયેલા એક યુવકને ઓફિસનું બારણું ખોલતાં બહુ તકલીફ પડી..ઘણી મહેનત પછી બારણું ખૂલ્યું...ઓફિસમાં ઘૂસીને બારણું ધડાક કરતું બંધ કર્યું...પછી મેનેજર પાસે ગયો..
‘તમે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છો ?'
હા”
“તો પહેલાં આ ઓફિસના બારણા પાસે જઇ તેની માંફી માંગી આવો...પછી બીજી વાત કરીશું!'
બારણાની માફી ?'
હા...કારણ કે તમે જે રીતે બારણું બંધ કર્યું તે મેં જોયું છે. બારણું બંધ કરતી વખતે મોઢાની રેખાઓ તંગ હતી. આજે બારણા પર ઉતારેલો ગુસ્સો આવતી કાલે મારા પર પણ ઉતરી શકે છે. એવું ન બને માટે બારણાની માફી તમારે માંગવી જ પડશે...”
અને ખરેખર ! તે યુવક બારણાની માફી માંગી આવ્યો પછી જ મેનેજરે તેની સાથે બીજી વાતો ચાલુ કરી.
અભક્ષ્ય અનંતકાયના ભક્ષણના ત્યાગથી તથા તીવ્ર આરંભ સમારંભવાળા કર્માદાનના ધંધાઓના ત્યાગથી આત્મામાં કોમળતાનાં ખૂબ સુંદર પરિણામો ઉત્પન્ન થાય છે.અને ઉત્પન્ન કોમળતાનાં આ પરિણામો સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ લાવ્યા વિના રહેતા નથી..મૈત્રી આવતાં દ્વેષ રવાના થાય છે, રાગ તૂટવા લાગે છે, આત્મામાં ઉત્તરોત્તર શુભભાવોની છોળો ઉછળે છે..અને અંતે વીતરાગદશાની પ્રાપ્તિ થઇ જાય છે.
આમ, આત્માના અનંતગુણોને પ્રગટ કરી દેવામાં ભારે સહાયક બનતા આ વ્રતને જીવનમાં અપનાવી જ લો.
તિલાંજલિ આપી દો અભક્ષ્ય અનંતકાયના ભક્ષણને !
આ રહ્યાં ૨૨ અભય માંસ, મદિરા, મધ, માખણ, બરફ, કરા, કાચી માટી, ઝેર, રીંગણાદિ, બહુબીજ (અંજીર, ખસખસ), તુચ્છ ફળ (બોર વગેરે) અજાણ્યાં ફળ, બોળઅથાણું, દ્વિદળ (કાચા દૂધ કે દહીં સાથે કઠોળનો સંયોગ) ચલિત રસ, વાસી માવોપૂરી વગેરે, રાત્રિભોજન, ઊંબરો, પીપળો પીપર, વડનાં ફળ, બે રાત્રિ ઓળંગી ગયેલું દહીં છાશ કે છાશની વસ્તુ, મૂળાનાં પાંચ અંગ, આદ્રા પછી કેરી, ફાગણ ચોમાસથી ભાજી પાન તલ ખોરાક ખજુર અને ૨૦ દિવસની મિઠાઇ, અષાઢ ચોમાસાથી મેવો અને