________________
નથી લાગતી. તૃણા ઉપર અંકુશ રહે છે. પ્ર. ૬ સાધુ માટે દિશાની મર્યાદા શા માટે નથી? ઉત્તર સાધુ-સાધ્વી યત્નાપૂર્વક ઇર્યાસમિતિનું પાલન કરતાં થકા ગમનાગમન કરે છે.
તેથી જીવ હિંસા થતી નથી. સંત જ્યાં પણ જાય છે, ત્યાં ધર્મ પ્રભાવના કરે છે. ધર્મપ્રચાર કરે છે. હંમેશા વિચરતાં રહેવાથી રાગ દ્વેષની બુદ્ધિ થતી નથી, એટલા
માટે તેમને દિશાની મર્યાદા નથી પરંતુ હંમેશા વિચરતા રહેવાનું વિધાન છે. પ્ર. ૭ ભોંયરાનો શબ્દ કયો? ઉત્તર અધોદિસિ. પ્ર. ૮ દેવલોકનો સમાવેશ ક્યાં થાય છે? ઉત્તર ઉઢ દિસિ = ઉર્ધ્વ દિશામાં. પ્ર. ૯ દિશા પરિમાણના અતિચાર કેટલા છે? કયા કયા? ઉત્તર દિશા પરિમાણના પાંચ અતિચાર છે.
૧) ઉદિસિધ્ધમાણાઇક્રમે, ૨) અધોદિસિધ્ધમાણાઇક્રમે,
૩) તિરિયાદિસિપ્રમાણાઇક્કમ, ૪) ખેતવુઢી, ૫) સઇઅંતરુદાએ. પ્ર. ૧૦ ઊંચી દિશાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર ઉઢદિસિધ્ધમાણાઇક્કમ નો અતિચાર લાગે. પ્ર. ૧૧ નીચી દિશાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર અધોદિસિપ્રમાણાઇક્રમે નો અતિચાર લાગે. પ્ર. ૧૨ તિર્ય દિશાની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો કયો અતિચાર લાગે ? ઉત્તર તિરિય દિસિધ્ધમાણાઇક્રમે નો અતિચાર લાગે. પ્ર. ૧૩. અહીંનું ત્યાં જોડવું અથવા એક જગ્યાએ ઘટાડી બીજે વધારવું તો કયો અતિચાર
લાગે? ઉત્તર ખેતવુઢી, ક્ષેત્રવૃદ્ધિ, પૂર્વાદિ દિશાની મર્યાદિત ભૂમિથી વધુ ભૂમિમાં મારે જવું
નથી. પણ પશ્ચિમ દિશાની મર્યાદિત ભૂમિથી અધિક ભૂમિમાં જવું પડે તેમ છે. જવાથી વધુ ધનાદિ લાભ મળે તેમ છે તેવું વિચારી એક દિશામાં ઘટાડી બીજી
દિશામાં વધારવું તે અતિચાર લાગે. પ્ર. ૧૪ યાદશક્તિ પર આવરણ આવ્યું ને મર્યાદાનું ધ્યાન ચૂકાયું તો કયો અતિચાર લાગે? ઉત્તર પ્રમાદ કે મોહવશ ભૂમિની મર્યાદા રાખી છે તે ભૂલાઇ જાય તો પણ આગળ વધે તો સંતરદ્ધાએનો અતિચાર લાગે.