SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨૪ ભગવાનના નિવાર્ણ સ્થળમાં ૨૦ ભગવાનોના નિર્વાણ સમેતશિખરજી તીર્થમાં થયા તે પણ ક્ષેત્રનો મહિમા સમજાયો. જ બ્રહ્મદત્ત ચક્રવર્તી બીજા છ ખંડ જીતવા નીકળ્યા પણ અતિ લોભના કારણે નરકગતિને પામ્યા. મુનિઓના નિવાસ કરવા માટે વસ્તી (જગ્યા) ની અનુજ્ઞા માગે અને તેટલી જ જગ્યાને વાપરતા હોય છે. બીજા દેવલોક સુધી ગયેલા ચમરેન્દ્ર દેવને તરત જ પોતાની સભામાંથી (ક્ષેત્રમાંથી) કાઢી મૂક્યો એટલું જ નહીં અન્ય દેવોને શિક્ષા કરવા આજ્ઞા કરી. કેટલાક પ્રશ્નોત્તર પરમ વિશ્રામના ઘાટ પ્રભુ ! પૂર્વ ભવોમાં ને આ ભવે પણ દશે દિશામાં દોડ કરી કોઇ ગ્યા સ્પર્યા વિના બાકી નથી રાખી. હવે ચાર ગતિના પરિભ્રમણ ૩૫ શુભાશુભ કર્મોથી છૂટી. સ્વમાં સ્થિર બની, પ્રાંતે સિદ્ધ ક્ષેત્રે સ્થિર બનું. સ્થિરતા આલંબને અસ્થિરને દઉ અલંવિદા એજ ભાવના. પ્ર. ૧ દિશા પરિમાણ વ્રત એટલે શું ? ઉત્તર જે જે દિશામાં જેટલું જવું પડે તેટલી મર્યાદા બાંધવી. પ્ર. ૨ દિશા કેટલી છે ? ઉત્તર દિશા દસ (૧૦) છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ કોણ, વાયવ્યકોણ, ઇશાન કોણ, નૈઋત્યકોણ, ઉર્ધ્વ દિશા ને અધો દિશા. પ્ર. ૩ તે દસે દિશાનો સમાવેશ અહીં કેટલા શબ્દોમાં થયો છે ? ઉત્તર ઉર્ધ્વ દિશા, અધો દિશા ને તિર્ય દિશા. આ ત્રણમાં સમાવેશ થયો છે. પ્ર. ૪ 8in 1 એટલે શું ? એવું ક્યાં સમજાય છે ? ઉત્તર પૂર્વ આદિ આઠ (ઉર્ધ્વ અધો દિશા સિવાય) દિશાનો સમાવેશ તિર્ય દિશામાં થાય છે. પ્ર. ૫ દિશાની મર્યાદા કરવાથી શું ફળ મળે છે ? ઉત્તર લોક અસંખ્યાત ક્રોડાક્રોડી યોજન વિસ્તારવાળો છે. દિશાઓની મર્યાદાથી, બહાર જવાનો સંપૂર્ણ ત્યાગ થવાથી આશ્રવ રોકાય છે. તેટલા ક્ષેત્રની ક્રિયા
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy