________________
'વ્રત સાતમે વિરતિ આદરું રે લોલ ધંધો સીઝન પ્રમાણે, ખોરાક ઋતુ પ્રમાણે, વાતચીત વ્યક્તિ પ્રમાણે અને મનની વૃત્તિ જીવન પ્રમાણે જોઇએ.
વૃત્તિનો અર્થ છે ચોક્કસ પ્રકારનો માનસિક ઢાંચો 0 મનુષ્ય ગતિ વિવેક પ્રધાન છે.
તિર્યંચોની વૃત્તિ જીવન ટકાવવા માટે મનુષ્યની ગતિ જીવન સુધારવા માટે છે.
Difference of Kind અને Difference of degree નો વિચાર રાખો. આ કસ વિનાનો ખોરાક ધાતુન બનાવે તુચ્છ (હલકો) ખોરાક મનોવૃત્તિ બગાડે. આ જમીનમાંથી ફૂટતા એ તણખલાને પણ નમસ્કાર કરું છું કારણ કે એનામાં
વૃક્ષના દર્શન મને થાય છે. બગડેલા વિચારો માત્ર પોતાને બગાડે બગડેલો આચાર અનેકને બગાડે. આ જીવન ઊંચું છે - મીઠું જીવન કિંમતિ છે - ઝવેરાત જીવન જોખમી છે – સાપ જીવન જોખમી છે એના કરતા જીવન જે સ્થાને ગોઠવાયું છે તે સ્થાન
જોખમી છે. આ જે ગતિમાંથી મનુષ્યગતિ તરફ જલ્દી આવવા ન મળે તે ગતિ સૌથી ખરાબ. 0 નરક કરતાંય નિગોદ ખરાબ છે.
જે પાપ રોજનું થાય એમાંથી પશ્ચાતાપનો ભાવ જાય. જે ધર્મ રોજનો થાય એમાંથી અનુમોદનાનું તત્ત્વ નીકળી જાય. આજે લોકોમાં દુઃખનો ઇન્કાર છે. દોષોનો સ્વીકાર છે. ત્રણ પદાર્થ એવા છે જેની માલિકી કર્યા વગર રહેવાનું મન ન થાય- સંપત્તિ,
સત્તા, સૌંદર્ય. 0 આ જગતમાં સૌથી ઇમાનદાર શરીર છે અને સૌથી વધારે બેઇમાન મન છે.
જે ધંધામાં સૌથી વધારે હિંસા ન હોય..