________________
ટૂંકમાં પરિગ્રહ એ રાગ દ્વેષનું ઘર છે. ધીરજ શાંતિ સંતોષ જીવનમાંથી ઘટાડે છે. સુખનો નાશક અને દુઃખનો ઉત્પાદક છે. બુદ્ધિશાળીની બુદ્ધિને દોષિત કરનારા છે. સ્વાભાવિક રીતે જ પાપનો બંધ કરનાર કરાવના૨ છે. જો ધન અનર્થનું જ કારણ છે તે તેનો પરિગ્રહ કરવો એ મહાઅનર્થને આમંત્રે. અને નક તિર્યંચાદિ દુર્ગતિમાં લઇ જાય તેમાં નવાઇ શું ?
અતિચાર
૧. ધન ધાન્ય પરિમાણતિક્રમ - ધાર્યા (નક્કી કરેલા) પરિમાણથી ધનધાન્ય વધુ ન થાય તેની કાળજી.
૨. ક્ષેત્ર વાસ્તુ પરિમાણાતિક્રમ - નિર્ધારીત સંખ્યાના પરિમાણથી માલિકીના ક્ષેત્ર (જમીન) મકાન વધુ ન થાય તેની કાળજી.
૩. રોપ્ય સુવર્ણ પરિમાણતિક્રમ – ધારેલા વજન અને મૂલ્યાદિથી સોનું, રૂપું વિગેરે વધુ થઇ મર્યાદા ઓળંગી ન જાય તેની કાળજી.
૪. કુષ્ય પરિમાણતિક્રમ - ધાર્યા પરિણામથી ઘરની અંદર (જરૂર કરતા વધુ ન થાય તે માટે) સ્ટીલ, પિતળ, તાંબુ, કાસું, જર્મન, એલ્યુમિનિયમ વિગેરે ધાતુ (ના વાસણો) વધુ ન થાય તેની કાળજી.
૫. દ્વિપદ ચતુષ્પદ પરિમાણતિક્રમ - બે પગવાળા દાસ દાસી, ચાર પગવાળા ગાય ભેંસ વિગેરે ધાર્યા કરતાં વધુ ન થાય તેની કાળજી.
પરિગ્રહ પરિમાણ બને ત્યાં સુધી આ જીવન સુધીનું લેવાય છે. તેવી અનુકૂળતા ન દેખાય તો સમયનો નિર્ણય કરી લેવું. લીધા પછી ફરીથી બીજીવાર લેતી વખતે બાંધેલી મર્યાદા બને ત્યાં સુધી ઓળંગવી નહી.
ભગવતીજી સૂત્રમાં પરિગ્રહી થવાના કારણોને જણાવતા કહ્યું છે કે, - પૂર્વ ભવમાં આસક્તિથી બાંધેલા પાપોના કારણે આ જીવ પાપાચરણ, માયાચરણ, મિથ્યાચરણ, અસત્યાચરણ કે દુષ્ટાચરણ જેવા આચરણમાં આગળ વધે છે. પરિગ્રહના વમળમાં ફસાયેલા કેટલાક જીવો..
૧. કુચિકર્ણ લાખો ગાયોના દુગ્ધપાનથી પણ તૃપ્ત ન થયો.
૨. તિલક શેઠ ધાન્યના સંગ્રહથી વિરામ ન પામ્યો. છેવટે બધું અનાજ સડી ગયું. ૩. મંજુરાજા રાજ્યના લોભથી ભત્રીજા ભાજ નો વધ કરેલા પ્રેરાયો.
૪. નળરાજા જુગારમાં રાણી દમયંતિને ખોઇ બેઠા.
dence
LLLLL