SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ટૂંકમાં પરિગ્રહ એ રાગ દ્વેષનું ઘર છે. ધીરજ શાંતિ સંતોષ જીવનમાંથી ઘટાડે છે. સુખનો નાશક અને દુઃખનો ઉત્પાદક છે. બુદ્ધિશાળીની બુદ્ધિને દોષિત કરનારા છે. સ્વાભાવિક રીતે જ પાપનો બંધ કરનાર કરાવના૨ છે. જો ધન અનર્થનું જ કારણ છે તે તેનો પરિગ્રહ કરવો એ મહાઅનર્થને આમંત્રે. અને નક તિર્યંચાદિ દુર્ગતિમાં લઇ જાય તેમાં નવાઇ શું ? અતિચાર ૧. ધન ધાન્ય પરિમાણતિક્રમ - ધાર્યા (નક્કી કરેલા) પરિમાણથી ધનધાન્ય વધુ ન થાય તેની કાળજી. ૨. ક્ષેત્ર વાસ્તુ પરિમાણાતિક્રમ - નિર્ધારીત સંખ્યાના પરિમાણથી માલિકીના ક્ષેત્ર (જમીન) મકાન વધુ ન થાય તેની કાળજી. ૩. રોપ્ય સુવર્ણ પરિમાણતિક્રમ – ધારેલા વજન અને મૂલ્યાદિથી સોનું, રૂપું વિગેરે વધુ થઇ મર્યાદા ઓળંગી ન જાય તેની કાળજી. ૪. કુષ્ય પરિમાણતિક્રમ - ધાર્યા પરિણામથી ઘરની અંદર (જરૂર કરતા વધુ ન થાય તે માટે) સ્ટીલ, પિતળ, તાંબુ, કાસું, જર્મન, એલ્યુમિનિયમ વિગેરે ધાતુ (ના વાસણો) વધુ ન થાય તેની કાળજી. ૫. દ્વિપદ ચતુષ્પદ પરિમાણતિક્રમ - બે પગવાળા દાસ દાસી, ચાર પગવાળા ગાય ભેંસ વિગેરે ધાર્યા કરતાં વધુ ન થાય તેની કાળજી. પરિગ્રહ પરિમાણ બને ત્યાં સુધી આ જીવન સુધીનું લેવાય છે. તેવી અનુકૂળતા ન દેખાય તો સમયનો નિર્ણય કરી લેવું. લીધા પછી ફરીથી બીજીવાર લેતી વખતે બાંધેલી મર્યાદા બને ત્યાં સુધી ઓળંગવી નહી. ભગવતીજી સૂત્રમાં પરિગ્રહી થવાના કારણોને જણાવતા કહ્યું છે કે, - પૂર્વ ભવમાં આસક્તિથી બાંધેલા પાપોના કારણે આ જીવ પાપાચરણ, માયાચરણ, મિથ્યાચરણ, અસત્યાચરણ કે દુષ્ટાચરણ જેવા આચરણમાં આગળ વધે છે. પરિગ્રહના વમળમાં ફસાયેલા કેટલાક જીવો.. ૧. કુચિકર્ણ લાખો ગાયોના દુગ્ધપાનથી પણ તૃપ્ત ન થયો. ૨. તિલક શેઠ ધાન્યના સંગ્રહથી વિરામ ન પામ્યો. છેવટે બધું અનાજ સડી ગયું. ૩. મંજુરાજા રાજ્યના લોભથી ભત્રીજા ભાજ નો વધ કરેલા પ્રેરાયો. ૪. નળરાજા જુગારમાં રાણી દમયંતિને ખોઇ બેઠા. dence LLLLL
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy