________________
પ્રકાશકીય પાઠોનું પુન: સંમાર્જન કરી તથા નૂતન પરિશિષ્ટો ઊમેરીને મુનિરાજશ્રીએ પ્રસ્તુત પ્રકાશનની ઉપાદેયતામાં જબ્બર વધારો કર્યો છે. તેથી તેઓને સહસશ: ધન્યવાદ અર્પીએ છીએ. તથા પૂ. જંબૂવિજયજી મહારાજ તથા સિદ્ધિ-ભુવન-મનોહર ટ્રસ્ટે પણ આ ગ્રંથ પ્રકાશન કરવાની સહર્ષ અનુમતિ આપી. તેથી તેઓનું પણ ઋણ સદાય અવિસ્મરણપથ ઉપર રહેશે.
પરમ પૂજ્ય સિદ્ધાંત દિવાકર, ગીતાર્થ મૂર્ધન્ય, ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ પૂજ્ય ન્યાયમૂર્ચાલસરસ્વતી, સંઘ-શાસનકૌશલ્યાધાર શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજાની પાવન પ્રેરણાથી શ્રી ઉમરા જૈન સંઘે પોતાના જ્ઞાનનિધિમાંથી આ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે. તેમની આ શ્રુતભક્તિને હૃદયથી અભિવંદિત કરીએ છીએ.
પ્રાન્ત, પ્રસ્તુત પ્રકાશનના પઠન-પાઠન દ્વારા વાચકવર્ગ શીધ્રાતિશીઘ પરમપદને પામે એ જ અભ્યર્થના.
કુમારપાળ વી. શાહ
દિવ્યદર્શન ટ્રસ્ટ