SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) સરકાર, મોટા ઉદ્યોગગૃહો, સેવાભાવી સંસ્થાઓએ રસ્તા બાંધકામ, જળસંપત્તિ-સંગ્રહ અને વિતરણ, વન સંપત્તિનો ઉપયોગ કરીને નવી રોજગારીની તકો ઊભી કરવી. (૫) બેરોજગારોને તંત્રજ્ઞાનની માહિતી આપવી. (૬) સરકાર દ્વારા સસ્તા ધિરાણથી લોકોની ખર્ચ કરવાની શક્તિમાં વધારો કરવો. (૭) શ્રીમદ્ રાજચંદ્રના ધંધાના નિયમો : (A) કોઈ પણ ઊણપ હોય તો તે આપણી છે. તે ઊણપ તકલીફરૂપ છે. આપણા કાર્યમાં આડી આવે છે, તેથી બીજાના દોષ જોવા નહિ. (B) આત્મશ્લાઘા કરવી નહિ. તે આપણને નીચી કક્ષાએ લઈ જાય છે. (C) આપણું વર્તન એવું હોવું જોઈએ કે આપણે બીજાનો પ્રેમ જીતી શકીએ. (D) ધંધો કે સાંસારિક બાબતોમાં તમો જેની સાથે વ્યવહાર કરવાના હોય, તેને તમારા વિચારો સ્પષ્ટપણે કહેવા જોઈએ. (E) સામા માણસનો વિશ્વાસ જીતવા માટે કાર્ય અને વચનમાં એક સૂત્રતા હોવી જોઈએ. વળી તમારો ઉદ્દેશ તેને નુકસાન પહોંચાડવાનો નથી તેની ખાતરી કરાવવી જોઈએ. (F) તમારા વિચારો કે કાર્યથી તમારા સહયોગી કે ભાગીદારને નુકસાન થાય તો પ્રાયશ્ચિત્ત કરવું અને કહેવું કે - ફરીથી તેમ નહિ થાય.” (G) આ કાર્ય તમારા અહંકાર વગર અને નિર્દોષ બુદ્ધિથી કરવું. આમ છતાં તમારા ભાગીદારને વિશ્વાસ ન આવે તો ભાગીદારીમાંથી તેમને નુકસાન આપ્યા વગર છૂટા થવું. આ માટે પ્રથમ તેમને સમજૂતી આપવી અને કહેવું કે - “તમો કોઈ પણ ભોગે તમારા સિદ્ધાંતોમાં બાંધછોડ કરવા માંગતા નથી.” જેન તત્ત્વજ્ઞાનનું જ્ઞાન અને વાસ્તવિકતાનો સમન્વય કરીને એક નવીન વિચારસરણી ઉત્પન્ન કરી શકાય. આ વિચારસરણીમાં તીર્થકર મહાવીરની અને અનુકંપા અને સંયમ એટલે કે વ્રતી સમાજના નિર્માણ દ્વારા માનવને સુખ-શાંતિ આપીને આર્થિક મંદીમાંથી ઉગારી શકાય. (જ્ઞાનધારા - S લ ૬૧ SEE જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)
SR No.032453
Book TitleGyandhara 05
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2010
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy