SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન કરે તે તે ફક્ત ભક્તિનાં ચેડાં જ છેશાસ્ત્રકારે પણ એકેન્દ્રિયના આરંભથી દૂર રહેનારા વિમલબુદ્ધિને દ્રવ્યસ્તવ કરવાની જરૂરીયાત નથી એમ સ્પષ્ટપણે જણાવે છે. પ્રશ્ન ૭૭૩-વ્યાખ્યાન, પ્રતિક્રમણ, પૌષધ, ઉપધાન વિગેરેમાં જે પ્રભાવના કરાય તેમાં ચોપડીઓ, કટાસણું વિગેરેની પ્રભાવના કરવી તેમાં વધારે લાભ ખરે કે નહિ? સમાધાન-બાલવોને ધર્મશ્રવણાદિ તરફ આકર્ષવા માટે અને બીજાઓને પણ પ્રમાદ ટાળીને તે તે કાર્યોમાં પ્રોત્સાહન આપવા પ્રભાવના દેવામાં આવે છે. તે ઉદ્દેશ ધ્યાનમાં રાખી પ્રભાવના કરવી વ્યાજબી છે. બાકી કેટલાક પિતાનાં છપાવેલાં પુસ્તકની પ્રભાવનામાંજ વધારે લાભ બિતાવે અને તેવી રીતે પ્રભાવના દ્વારા પુસ્તક વહેંચાવી, ઘણી આવૃત્તિના પ્રકાશન પ્રસિદ્ધિ વિગેરેને આડંબર ધરાવવા માંગતા હોય તો તે ગ્ય લાગતું નથી. પ્રશ્ન હ૭૪-મૃતદેવતા અને સરસ્વતી દેવી એક છે કે જુદાં ? અને તેમની મૂર્તિઓ પ્રાચીન છે કે કેમ? સમાધાન-મૃતદેવતા અને સરસ્વતી એકરૂપ ગણાય. કારણ કે ગ્રંથકારે બેમાંથી એકની સ્તુતિ કરે છે. સરસ્વતીની મૂર્તિઓ બારમી સદીઓનાં તાડપત્રોનાં જે પુસ્તકો અમદાવાદના સાહિત્યપ્રદર્શનમાં આવ્યાં હતાં તેમાં ઘણે સ્થાને હતી. પ્રશ્ન ૭૭૫-પર્યુષણમાં કલ્પધર અને સંવછરીને દિવસે પૌષધ કરો ઠીક છે કે શાસનની શોભા તથા જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્યાદિની વૃદ્ધિ માટે ચારેય પ્રકારે પૌષધમાંથી માત્ર આહાર પૌષધજ કરવો ઠીક છે ? સમાધાન-તે તે પર્વેમાં ચાર પ્રકારને પૌષધ કરનાર પ્રથમથી પિતાની શક્તિ પ્રમાણે શાનદવ્યાદિની વૃદ્ધિ માટે સવડ કરી લે; કદાચ ન કરી હોય તે પાછળથી કરે પણ તે નામે સંપૂર્ણ પૌષધ છેડવો
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy