SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ સાગર આ ગાથાથી શુભધ્યાન ઉત્પન્ન કરનાર અને કર્મક્ષય કરનાર જે અનુષ્ઠાન હોય તે વિશાલ એવા અંગસમુદ્રમાં ન મળે તો પણ (પરંપરાથી થતું અનુષ્ઠાન) તેમાં કહેલું છે એમ જાણવું. એમ જણાવી જૈનધર્મમાં આદરાએલાં અનુદાનો સિદ્ધાંતોક્ત ન દેખાય તો પણ સિદ્ધાંત ગણવા જણાવે છે. અન્યદર્શનીયેની ભાસખમણ જેવી તપસ્યાને પણ બાલત પ સ્પષ્ટપણે સૂત્રકારે જણાવે છે. વળી મિથ્યાત્વનું સ્થિરીકરણ કે વૃદ્ધિ થાય તેવું તે સમ્યગ્દષ્ટિથી થાયજ નહિ. સમ્યગ્દષ્ટિની પ્રશંસા ન કરાય અને અનાદર અવજ્ઞા કરાય તે દર્શનાચારથી વિરૂદ્ધ છે. પણ મિયાદષ્ટના ગુણને માટે તેમ નથી, મિથ્યાત્વને વધારનારની તો વાત જ શી ? પ્રશ્ન ૯૫૬- શ્રીશ્રીપાલચરિત્ર, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ અને ભવિષ્યદત્તકથા જેવા અર્વાચીન ગ્રંથોમાં ઉજમણાને અધિકાર છે, પરંતુ તેનાથી પ્રાચીન ગ્રંથમાં ઉઘાપનને અધિકાર છે? સમાધાન-આચાર્યશાન્તિસૂરિજી અનેક પ્રતિમા સાથે બનાવીને અંગે જણાવે છે કે-રમેટિનમુક્ષાર વાળમાં 13 પંચ નિ” અર્થાત પંચપરમેષ્ઠિનમસ્કારને તપ કરીને તેનું ઉજમણું કરવા પાંચ તીર્થકરોની એકઠી મૂર્તિઓ કરે, વળી–ાળવતવનવા ૩૪મિ ” એટલે કલ્યાણકના તપનું ઉજમણું કરવા બહુમાનવિશેષથી ભરતક્ષેત્રમાં થનારા ચોવીસે તીર્થકરોની મૂર્તિઓ સાથે બનાવે. શ્રીઅભયદેવસૂરિજીના વચનથી હરિશ્ચંદ્ર ઉપદેશમાલાનું ઉજમણું કર્યું છે એમ માલધારીય શ્રીરાજશેખ સૂરિ પણું અંતરકથામાં કહે છે. - પ્રશ્ન ૯૫૭–જિનેશ્વરભગવાનની મૂર્તિને આકાર તેમની સિદ્ધદશાની અપેક્ષાએ છે કે સમવસરણની અપેક્ષાએ છે? જે સિહદશાએ હોય તો આઠ પ્રાતિહાર્ય અને મુકટાદિ કેમ? અને સમવસરણની અપેક્ષાએ હોય તે કાઉસગ્ગીયાને આકાર કેમ? સમાધાન કે વ્યવહારથી સમવસરણની દશાએ પ્રતિમાઓ થાય છે એમ કહેવાય છે પણ પરમાર્થથી “વિયસ કિયા એવા બૃહદ
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy